Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: એક ગુજરાતી પરિવારે ચીનીને બનાવ્યો જમાઇ!

Webdunia
શનિવાર, 11 જુલાઈ 2020 (16:57 IST)
ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ લોકોમાં આક્રોશની ભાવના જોવા મળી હતી. દેશમાં ઠેર-ઠેર ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી ચાઇનીઝ વ્યંજનોના નામ પણ બદલી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરનાર વ્યક્તિને ફ્રીમાં જલેબી અને સુકા મેવા આપવામાં આવી રહ્યા છે. 
 
લોકોમાં ચીન વિરૂદ્ધ વિરૂદ્ધ આક્રોશની ભાવના ફેલાયેલી છે, તો બીજી તરફ અમદાવાદના ચાંદખેડાના એક પરિવારે ચીની પર વિશ્વાસ કરીને પોતાની પુત્રીના લગ્ન ચીની વ્યક્તિ સાથે કરાવ્યા છે. હાલ લોકડાઉનમાં ચીની જમાઇ ચીન પરત જઇ શકતો નથી જેથી અમદાવાદમાં મહેમાન બનીને બેસ્યો છે. 
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મણીબેન ગૌતમ પરિવારના સભ્યોની સાથે રહે છે. મણીબેનની પુત્રી પલ્લવીને ચીનના મા હાઇકો નામના વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેથી પલ્લવીએ આ વાતની જાણકારી પરિવારના સભ્યોને કરી હતી. 
 
પલ્લવીના પરિવારજનો આ લગ્નને માની લીધા હતા. પરિવારના સભ્યોની સ્વિકૃતિ પહેલાં પલ્લવીએ મા હાઇકો સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. પલ્લવી ચાઇનીઝ ભાષામાં અનુવાદ અને (વ્યાખ્યાન આપવું) ઇન્ટરપિટેશનનું કાર્ય કરે છે. વર્ષ 2016માં પલ્લવીને આંધ્ર પ્રદેશમાં સ્થિત શ્રી સિટીમાં ઓપ્પો મોબાઇલ કંપનીમાં ઇન્ટરપીટેશનનું કામ મળ્યું હતું. 
 
મોબાઇલ કંપનીમાં કામ કરતી વખતે પલ્લવી રાઇજિંગ સ્ટાર મોબાઇલ કંપનીમાં કામ કરનાર મા હાઇકોના સંપર્કમાં આવી હતી. મા હાઇકો ચીનના સુચીઆનનો નિવાસી છે. પલ્લવી અને મા હાઇકો વચ્ચે વાતચીત થઇ હતી અને ત્યારબા બંને એકબીજા મિત્ર બન્યા અને અંતે બંને વચ્ચે પ્રેમ સંબંધનું બંધન બંધાઇ ગયું. 
 
ત્યારબાદ પલ્લવીએ સમગ્ર વાત પરિવારના સભ્યોને જણાવી અને તેમણે ચીનીને પોતાના જમાઇ બનાવવા માટે અને પલ્લવીના મા હાઇકોની સાથે વિવાહ કરાવ્યા હતા. બંનેના લગ્ન હિન્દુ વૈવાહિક વિધિ અનુસાર થયા હતા. 
 
મહત્વપૂર્ણ વાત એ છે કે મા હાઇકો ગત 6 મહિનાથી પલ્લવીના ઘરે જ રહે છે. ભારત અને ચીનના સંબંધો વચ્ચે કડવાહટ આવી ગઇ છે પરંતુ પલ્લવી અને મા હાઇકોનું લગ્ન જીવનમાં કોઇ કડવાશ આવી નથી. પતિ પત્ની ખૂબ ખુશ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments