Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lucky Flower Plant: ઘરમાં જરૂર લગાવો આ 5 ફૂલોના છોડ, તણાવ દૂર થશે, આવશે સુખ-સમૃદ્ધિ

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (01:18 IST)
Lucky Flower Plant: દરેક વ્યક્તિને ઘર હોય કે ઓફિસમાં લીલા છોડ રોપવાનું પસંદ કરે છે. લીલા છોડ માત્ર દેખાવમાં જ સારા નથી હોતા પરંતુ તે મનને શાંતિ પણ આપે છે. જો ઘરમાં છોડ હોય તો સકારાત્મકતાનો કાયમ રહે છે. કેટલાક વૃક્ષો માત્ર સાજ સજ્જા માટે જ નથી લગાવાતા પરંતુ કેટલાક છોડ એવા હોય છે જે ઘરમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિના આગમનમાં મદદરૂપ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ફૂલોના છોડ લગાવવા પણ ખૂબ જ જરૂરી છે. ફૂલોના છોડ તણાવ દૂર કરે છે. તેમજ તેમને જોઈને મનને શાંતિ મળે છે. આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા રાખે છે. આજે અમે તમને એવા જ કેટલાક ફૂલોના છોડ વિશે જણાવી રહ્યા છીએ, જેને ઘરમાં લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ એવા 5 ફૂલો વિશે જે જીવનમાં ખુશીઓ લાવે છે.
 
ચંમ્પા - ચંપાના ફૂલને ધાર્મિક દ્રષ્ટિકોણથી પવિત્ર માનવામાં આવે છે. તેના ફૂલોનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. તેના ફૂલોમાં સુગંધ હોવાને કારણે, ચંપાનો છોડ પર્યાવરણને શુદ્ધ કરવા માટે વાવવામાં આવે છે.
 
મોગરા - વાસ્તુ અનુસાર મોગરાનો છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. મોગરાના ફૂલો ઉનાળામાં ખીલે છે. તેની મીઠી સુગંધ મનને તાજગી આપે છે અને ગુસ્સાને શાંત કરે છે.
 
ગુલાબ - મોટાભાગના લોકો પોતાના ઘરમાં ગુલાબનો છોડ લગાવવાનું પસંદ કરે છે. આ ફૂલ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. ગુલાબની સુગંધ માત્ર મનને શાંત જ નથી કરતી પણ તણાવને પણ દૂર કરે છે અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. એટલા માટે તેને ઘરમાં લગાવવું જોઈએ.
 
ચમેલી  - વાસ્તુ અનુસાર ઘરના આંગણામાં ચમેલીનો છોડ રાખવાથી શુભ ફળ મળે છે. ઘરમાં તેની હાજરીને કારણે પરિવારના સભ્યોના જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગે છે. સાથે જ તમને સકારાત્મક ઉર્જા પણ મળે છે.
 
 
પારિજાત - વાસ્તુશાસ્ત્ર અનુસાર પારિજાતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં પારિજાતના ફૂલ હોય છે ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ ચમકદાર ફૂલો ફક્ત રાત્રે જ ખીલે છે અને સવારે તેઓ જાતે જ ઝાડ પરથી પડી જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

આગળનો લેખ
Show comments