Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફળતાનો મંત્ર - આળસને છોડીને આગળ વધો, નહી તો મુસીબતમાં પડશો

Webdunia
શનિવાર, 24 એપ્રિલ 2021 (07:45 IST)
સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવાની હોય છે. જે વ્યક્તિ મહેનત કરે છે તેને ક્યારેક ને ક્યારેક સફળતા જરૂર મળે છે. આળસ કરનારા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. સફળતા મેળવવા માટે આળસને છોડીને સતત મહેનત કરતા રહેવુ જોઈએ. અમે તમને એક પ્રેરણાદાયક સ્ટોરીના માધ્યમથી સમજાવીએ છીએ કે આળસને ત્યાગવી કેમ  જરૂરી છે. 
 
એક ગરુડને બે બાળકો હતા. બંને બાળકો મોટા થયા હતા, પરંતુ કેવી રીતે ઉડવુ તે શીખી નહોતા રહ્યા. દરરોજ તેમના પિતા તેમને પીઠ પર બેસાડીને  જંગલમાં લઈ જતા જ્યાં બંને બચ્ચા દાણા ચણતા રહેતા  સાંજે તેમના પિતા બંનેને ઘરે પાછા લઈ જતા. 
 
 રોજ  પિતા આ રીતે બાળકોને લઈ જતા અને ઘરે લાવતા. હવે ગરૂડના બાળકોએ પણ વિચાર્યુ કે આપણે ઉડવાની શુ જરૂર છે. અમારા પિતા દરરોજ અમને જંગલમાં લઈ જાય છે અને ઘરે પાછા લાવે છે. અમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ રીતે બંને બાળકો આળસુ બની ગયા. આ બંને બાળકો મહેનત કરવા માંગતા ન હતા.
 
જ્યારે તેમના પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમના પિતાએ તેમની આળસને દૂર કરવાની યોજના બનાવી. બીજે દિવસે પિતા બંનેને પોતાની પીઠ પર બેસાડીને આકાશમાં ઉડાન ભરી. ઉંચાઇ પર પહોંચ્યા પછી, પિતાએ અચાનક બંનેને પોતાની પીઠ પરથી પાડી નાખ્યા. જ્યારે બંને બચ્ચા મુસીબતમાં ફસાયા તો બંનેયે પોતાની પાંખો ફફડાવવી શરૂ કરી અને આકાશમાં ઉડવા લાગ્યા. ઘરે પહોચીને જ્યારે બાળકોએ આ વાત પોતાની માતાને બતાવી તો માતાએ કહ્યુ જે બાળકો મહેનત નથી કરતા અને આળસ કરે છે તેમને આ જ રીતે સમજાવવુ પડે છે. એ દિવસથી બંને બાળકોએ જીવનમં ક્યારેય પણ આળસ ન કરી 
 
સીખ - આળસ કરવાથી તમે મુસીબતમા ફસાઈ શકો છો. તેથી સખત મહેનત કરો અને આળસનો ત્યાગ કરો. જીવનમાં મહેનત કર્યા વગર કશુ મળતુ નથી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments