Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલગાંવથી સુરત તરફ આવી રહેલી બસ પુલ પરથી ખાબકી, 4ના મોત, 35 ઘાયલ

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2020 (12:18 IST)
જલગાવથી 40 મુસાફરોને લઇને સુરત આવી રહેલી એક ખાનગી બસનો મોડીરાત્રે અકસ્માત સર્જાયો છે. ગુજરાતની બોર્ડરે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક પ્રાઇવેટ બસ પુલ પરથી 40 ફૂટ નીચે ખાબકી જતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.
 
મળતી માહિતી અનુસાર જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નીચે ખાબકી હતી. ઘણા મુસાફરો બસમાં ફસાઈ પણ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમા 4 મુસાફરોનું મોત થયું છે.  35થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 40 મુસાફરો હતા. સૌથી વધુ સુરત અને જલગાવના મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. 
 
અકસ્માતમાં બસના ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચતા વિસારવાડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નંદુરબારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

આગળનો લેખ
Show comments