Biodata Maker

સિંહસ્થમાં ચોરોનો આતંક, સાધુ-સંતો થયા પરેશાન

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2016 (18:05 IST)
ભીકા શર્મા 
 દત્ત અખાડાના ભૂખી માતા ક્ષેત્રમાં ચોરોએ સાધુ-સંતોના નાકમાં દમ કર્યો છે. તેઓ બાબાઓના થેલા લઈને ફરાર થઈ જાય છે. સંતોમાં આ વાતને લઈને ખૂબ આક્રોશ છે. તેમણે આ ઘટનાઓ પર નારાજગી બતાવતા ચક્કાજામ પણ કર્યો. 
 
સિંહસ્થ શરૂ થયે હજુ 2 દિવસ જ થયા છે પણ ચોરીની ઘટનાઓ વધવા માંડી છે. ચોર બાબાઓના થેલા લઈને ફરાર થઈ રહ્યા છે.  આ થેલામાં પૈસા, સોનુ ચાંદી, માળા, સાધનાનો સામાન, એટીએમ કાર્ડ વગેરે હોય છે. 
 
 સંત ગોવિંદ ગિરિએ વેબદુનિયાને જણાવ્યુ કે  આ લોકો અનેક વાર મંડપ તોડીને સંતોનો કિમતી સમાન લઈને ફરાર થઈ જાય છે. તેમણે કહ્યુ કે અમે સરકારના કામથી બિલકુલ ખુશ નથી. 
 
પંચદશનામ અખાડા સાથે જોડાયેલ કાશીના સંત રઘુવર ગિરિએ જણાવ્યુ કે સવારે 6 વાગ્યાથી સંતોએ ભૂખી માતા રોડ પર ગુરૂદ્વારા સામે ચક્કાજામ કર્યો. 
 
તેમણે કહ્યુ કે એક સંતની જાયલો ગાડીનો કાચ તોડીને કેટલાક લોકોક બેગ લઈને ફરાર થઈ ગયા. તેમણે કહ્યુ કે પાયલોટ બાબાના એક શિષ્યનો થેલો પણ ચોરી થઈ ગયો. તેમા 65 હજાર રૂપિયા હતા. 
 
બાબા નરસિંહનો થેલો પણ ચોરી થઈ ગયો. તેમા ગૌરીશંકર કંઠા(માળા) જેની કિમંત 3.50 લાખ હતી. સહિત ઐતિહાસિક મહત્વ ધરાવતા સિક્કા પણ હતા. 
 
શ્રી પંચદશાનમ જૂના અખાડ કચ્છના મહંત નૃસિંહ ગિરિનો જે ગૌરીશંકર કંઠા ચોરી તહી ગયો છે તેમા 65 દાણા હતા અને દરેક દાણાની કિમંત 8 હજાર રૂપિયા હતી. 
 
રઘુવર ગિરિએ આરોપ લગાવ્યો કે અનેકવાર સાધુ ચોરોને પકડીને પોલીસના હવાલે કરી દે છે. પણ પોલીસ તેમની સાથે સમજૂતી કરીને તેમને ફરી છોડી દે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments