Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્યમેવ જયતે : રોષે ભરાયેલ ડોક્ટરોએ આમિર ખાનને માફી માંગવાનું કહ્યુ !!

Webdunia
ગુરુવાર, 31 મે 2012 (17:51 IST)
P.R

21 તબીબી ઈન્સિટ્યૂટ્સની ની છત્રક સંસ્થાએ બુધવારે આમિર ખાનને પોતાના ટીવી શો 'સત્યમેવ જયતે'માં ડોક્ટરો પર ગેરનીતિ આચરવાનો આરોપ મૂકવા બદલ માફી માંગવાનું કહ્યુ છે.

મેડસ્કેપ ઈન્ડિયાએ કહ્યુ હતું કે ડોક્ટરો ખોટા કામો કરતા હોવાની રજૂઆત ઘણી નિરાશાજનક હતી અને આમિર ખાને માફી માંગવી જોઈએ.

મેડસ્કેપ ઈન્ડિયાના કો-ફાઉન્ડર અને સલાહકાર હિમાંશુ મેહતાએ કહ્યુ હતું કે, "આ વાસ્તવમાં ખરેખર નિરાશાજનક છે કે ડોક્ટરોને આવા નિર્લજ્જ અને એકપક્ષી તપાસનો શિકાર બનાવવામાં આવે."

ભારતીય સમાજના સામાજીક મુદ્દાઓને પ્રકાશિત કર્યા પછી આમિર ખાને પોતાના શોના ચોથા એપિસોડમાં સ્વાસ્થ્ય અને મેડિકલ વ્યવસાયમાં ચાલતી ગેરરિતી પર પ્રકાશ ફેંક્યો હતો.

તેણે મેડિકલ સારવારમાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓ, ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો ખુલાસો કર્યો હતો.

મેડસ્કેપના પ્રેસિડન્ટ સુનિતા દુબેએ કહ્યુ હતું કે, "આમિર ખાન મારો ફેવરિટ એક્ટર છે અને તેણે ફિલ્મ બનાવવામાં ધ્યાન આપવું જોઈએ."

" આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ ડોક્ટરોના જૂથે હજી સુધી આમિરની વિરુદ્ધમાં કંઈ કહ્યુ નથી. આવા નર્યા જૂઠ્ઠાણા સામે આપણે બધાએ એકઠા થઈને ઊભા રહેવું જોઈએ. અમે તેને માફી માંગવાનું કહેતો એક સખત પત્ર લખવાના છીએ."

મેડસ્કેપે એવો મુદ્દો રજૂ કર્યો હતો કે ડોક્ટરો પર કોઈ પણ વાંક વગર જ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ઘણા લોકોને આ વ્યવસાયમાં રહેલા દબાણ વિશે માહિતી જ નથી.

મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના પ્રેસિડન્ટ કિશોર તાઓરીએ કહ્યુ હતું કે, "જ્યારે ડોક્ટરો પર હુમલા થયા હતાં ત્યારે આમિર ખાન ક્યા હતો? જ્યારે અમે જરૂરિયાતમંદોને મફતમાં સારવાર આપીએ છીએ ત્યારે તે ક્યા હોય છે?"

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments