હજુ આ નાટક ખતમ થાય એ પહેલા બિગ બોસનુ નવુ ફરમાન આવી ગયુ,જેમા જન્નતવાસીને પૂરો સમય ઉભા રહેવાનુ ટાસ્ક મળ્યુ અને કહેવામાં આવ્યુ કે જો તેમને બેસવુ કે સૂવુ હોય તો તેમણે જહન્નુમવાસીઓને ચક્ર ફેરવવા માટે કહેવુ પડશે.
પછી ગોહર અરમાન સાથે વાત કરવા પહોંચી અને ત્યાં પોતાના જ મિત્રો માટે બોલી કે તેઓ અંદર કંઈક બીજુ કહે ચ હે અને બહાર આવીને કંઈક બીજુ. બસ પછી તો શુ હતુ.. અનીતા અડવાણી અને તનીષાએ આવીને વિરોધ કર્યો અને ત્યાંથી નીકળી ગયા. પણ ગૌહરે પોતાનુ નાટક ચાલુ રાખ્યુ અને અરમાન સાથે વાદ વિવાદ કર્યો અને રડી પડી.
બીજી બાજુ ગોહરને રડતી જોઈ પહેલવાન સંગ્રામને દુ:ખ થયુ અને તે તેમના આંસુ લૂંછવા પહોંચ્યા. ત્યારબાદ તનીષા, એંડી અને શિલ્પા ગૌહરની નીંદા કરતી જોવા મળી.