Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાપ પંચાયત રોકવા માંગે છે આમિરનો શો 'સત્યમેવ જયતે'

Webdunia
આમિર ખાનના શો 'સત્યમેવ જયતે'ને કારણે ભારતીય સમાજના અમુક હિસ્સાના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તેમને લાગે છે કે આમિર ખાને તેમની છાપને નકારાત્મક બનાવી છે અને તેમનું અપમાન કર્યું છે. આ લોકો અન્ય કોઈ નહીં પણ ખાપ પંચાયતના લોકો છે.
P.R

થોડા સમય પહેલા જ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટની છત્રક સંસ્ખાએ પણ આમિરને તેમના પર તબીબી વ્યવસાયમાં ચાલતી ગેરરીતિનો મુદ્દો રજૂ કરવા બદલ માફી માંગવા માટે કહ્યુ હતું. અલબત્ત, આમિર ખાને તેમની માફી માંગવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે કહ્યુ હતું કે તેણે તબીબી વ્યવસાયનું અપમાન નથી કર્યું પણ તેવા ડોક્ટરોએ કર્યું છે જેઓ પૈસા કમાવા માટે આવી ગેરરીતિનું આચરણ કરે છે.

હવે હરિયાણાની સર્વ ખાપ પંચાયતે આમિરની વિરુદ્ધમાં પગલા લેવાનો નિર્ણય લીધો છે.

આ શોના એક એપિસોડમાં ખાપ પંચાયતના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતાં અને ખાપે ઘડેલા દેશના કાનૂન કરતા અલગ કાયદાઓ વિશે પ્રશ્નો પૂછીને આમિરે તેમની સામે આવી ગયો હતો.

આ કારણે ખાપ આ શોના પ્રસારણને રોકવા માંગે છે.

મેહમ ચૌબીસી પંચાયતના પ્રમુખ રણધિર સિંહે કહ્યુ હતું કે, "મને એક ગામના રહીશનો ફોન આવ્યો હતો કે તેની 3 વર્ષની પૌત્રીએ તેને કહ્યુ હતું કે તે પણ ભાગીને જ લગ્ન કરશે."

તેમણે ઉમેર્યું હતું કે, "આ ફિલ્મ સ્ટાર સમાજમાં કેવા પ્રકારનો બદલાવ લાવવા માંગે છે, તેની હરકતો દાયકાઓથી ભાઈચારાની ભાવના સાથે રહેતા ગામડાના લોકોનું સામાજિક માળખું જ તોડી પાડશે."

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

વધુ જુઓ..

નવીનતમ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments