Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોન બનેગા કરોડપતિના સેટ પર જ્યારે અમિતાભ ભાવુક થયા

Webdunia

કોન બનેગા કરોડપતિના સેટનુ વાતાવરણ અમિતાભ બચ્ચન હંમેશા ખુશનુમા બનાવી રાખે છે. પણ સેટ પર એક ક્ષણ એવી આવી જ્યારે અમિતાભની આંખો પણ ભીની થઈ.

P.R

એસિડ પીડિત સોનાલી મુખર્જી એક ખૂબ જ ખાસ એપિસોડમાં ભાગ લેવા સેટ પર પહોંચી તો તે ક્ષણ ખૂબ જ ભાવુક હતી. સોનાલી મુખર્જીની સાથે બોલીવુડ અભિનેત્રી લારા દત્તા પણ આ ખાસ એપિસોડમાં ભાગ લેવા પહોંચી હતી.

આ એપિસોડની થીમ હતી - 'દૂસરા અવસર'. સોનાલીની સાથે થયેલ ઘટનાની એક વિશેષ વીટી તૈયાર કરવામાં આવી હતી, જેને બતાવવામાં આવી. જ્યારે અમિતાભ બચચને લારા દત્તાને આ પૂછવામાં આવ્યુ કે કંઈ વાતે તેમને સોનાલીનો સાથ આપવા માટે પ્રેરિત કરવામાં આવી તો જવાબ આપતા લારા પણ ભાવુ થઈ ગઈ અને રડી પડી.

સોનાલીએ અમિતાભ બચ્ચનના ગુરૂ રવિન્દ્રનાથ ટૈગોરનું પુસ્તક ભેટમાં આપ્યુ. અમિતાભે કહ્યુ કે તેઓ આ જ્ઞાનથી લોકોને પ્રેરણા આપશે. જ્યારે અમિતાભે સોનાલીને તેમની સાથે થયેલ ઘટના વિશે પૂછ્યુ તો સોનાલીની દર્દનાક સ્ટોરી સાંભળીને અમિતાભ ભાવુક થઈ ગયા.

લારાએ જણાવ્યુ કે સોનાલી એ બધા લોકોથી બહાદુર છે, જેઓને તે અત્યાર સુધી પોતાના જીવનમાં મળી ચુકી છે. અમિતાભે કહ્યુ કે સરકારને ખતરનાક રસાયણોની ઉપલબ્ધતા અને તેમના પ્રયોગના સંદર્ભમાં કડક કાયદા બનાવવા જોઈએ. તેમણે એક ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો જ્યારે ફટાકડા ફાટવાથી તેમનો હાથ જખ્મી થઈ ગયો હતો અને તેમણે ખૂબ દુ:ખાવો સહન કરવો પડ્યો હતો.

સોનાલીએ એ બધા મીડિયા સહયોગીઓનો આભાર માન્યો, જેમણે તેમની મદદ કરી છે. જ્યારે અમિતાભે પૂછ્યુ કે કયા કારણથી આવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે સોનાલીએ કહ્યુ કે લોકોને કાયદાનો ભય નથી રહ્યો અને તેથી જ તેઓ આવા અપરાધ કરે છે.

લારાએ પણ સોનાલીની વાતનું સમર્થન કર્યુ અને કહ્યુ કે આવા અપરાધોને બિનજામીની બનાવવા જોઈએ અને આવા અપરાધ કરનારાઓને પણ કડક સજા મળવી જોઈએ.

કૌન બનેગા કરોડપતિ ના ભાવુક અને પ્રેરણાદાયી એપિસોડનુ પ્રસારણ 25 નવેમ્બરના રોજ રાત્રે 8:30 પર સોની એંટરટેનમેંટ ટેલીવિઝન પર થશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments