Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિરનો શો 'સત્યમેવ જયતે' અમિતાભના 'કેબીસી' કરતા આગળ

Webdunia
P.R
નાના પડદે આમિર પોતાની અસર ઊભી કરવામાં કેટલી હદે સફળ રહ્યો તેની અટકળોનું બજાર જોરમાં છે. ગુરૂવારે જાહેર કરાયેલા ટીઆરપીના આંકડા પરથી ખ્યાલ આવે છે કે આમિરનો શો 'સત્યમેવ જયતે' અમિતાભ બચ્ચનના 'કેબીસી' કરતા પણ આગળ નીકળી ગયો છે.

ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ (ટેમ)ના અહેવાલ અનુસાર 'સત્યમેવ જયતે'ના પહેલા એપિસોડને 9 કરોડ લોકોએ નિહાળ્યો હતો અને 4.1ની સૌથી વધુ ટીઆરપી મળી હતી.

ટેમ અનુસાર સ્ત્રીભૃણ હત્યાના મુદ્દા પર આધારિત પહેલો એપિસોડ 2.67 કરોડ દર્શકો સુધી પહોંચ્યો હતો. ઈન્ડિયન રિડરશીપ સર્વે અનુસાર 90 મિલિયન ભારતીયોએ (શહેરી અને ગ્રામીણ દર્શકો સહિત) આ પહેલો એપિસોડ જોવા માટે ટીવી ઓન કર્યું હતું.

' સત્યમેવ જયતે'ને 4.1ની ટીઆરપી મળી હતી (ટેમ, જે આખા ભારતના 4 વર્ષથી વધુ જૂના દર્શકોનો સમાવેશ કરે છે.) જે 'કૌન બનેગા કરોડપતિ 5'ની 3.5 ટીઆરપી કરતા વધારે હતી. આ ડેટામાં આખા ભારતીય માર્કેટનો સમાવેશ કરાયો છે, કેબલ અને દૂરદર્શન જોવાવું હોય તેવા ઘરો સહિત.

' સત્યમેવ જયતે'નો પહેલો એપિસોડ 6મે ના રોજ આઠ અલગ અલગ ભાષાઓમાં 9 ચેનલ પર પ્રસારિત થયો હતો. જેમાં સ્ટાર ટીવી નેટવર્કની ચેનલ, ઈટીવી તેલૂગુ અને નેશનલ બ્રોડકાસ્ટર ડીડી1 સામેલ હતાં.

આ શો દ્વારા સમાજમાં પણ હકારાત્મક અસર પેદા થઈ છે. 'સત્યમેવ જયતે' સર્ચ ગુગલ એન્જીન પર શોના હોસ્ટ આમિર કરતા પણ વધારે સર્ચ થયો છે. આ શો ટ્વિટરના 10 ટ્રેન્ડમાં ટોપ 5માં સ્થાન પામ્યો હતો.

આ શો દર રવિવારે સવારે 11 વાગ્યાના સ્લોટમાં પ્રસારિત થાય છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments