Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - દરિદ્રતાના રસ્તે લઈ જાય છે વ્યક્તિની આ આદતો, તમે પણ જાણી લો

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (07:07 IST)
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનના અનેક પહેલુઓ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. તેની નીતિઓ જીવનને  જીવવાની રીતે બતાવવા સાથે જ સફળતાનો રસ્તો પણ બતાવે છે. આચાર્ય ચાણક્યની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય્છે. આચાર્ય ચાણક્યને અર્થશાસ્ત્ર, કૂટનીતિ અને સમાજશાસ્ત્રના જ્ઞાની પણ માનવામાં જાય છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા વ્યક્તિની એ ટેવો વિશે પણ બતાવ્યુ છે, જે તેને દરિદ્રતાના રસ્તે લઈ જાય છે. 
 
कुचैलिनं दन्तमलोपधारिणं बह्वाशिनं निष्ठुरभाषिणं च।
सूर्योदये चास्तमिते शयानं विमुञ्चतिश्रीर्यदि चक्रपाणि:।।
 
ચાણક્ય કહે છે કે જે લોકો પોતાની આસપાસ ગંદકી રાખે છે અને સ્વચ્છતા રાખતા નથી. એવા લોકો પર મા લક્ષ્મી પોતાની કૃપા નથી વરસાવતી. ચાણક્ય કહે છે કે પોતાના દાંતોની સફાઈનુ ધ્યાન ન રાખનારા લોકોને પણ ગરીબીનો સામનો કરવો પડી શકે છે.  મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ રોજ પોતાના દાંતની સફાઈ જરૂર કરવી જોઈએ 
 
ચાણક્ય મુજબ જે લોકો પોતાની ભૂખથી વધુ ખાય છે, તે ક્યારેય ધનવાન નથી બની શકતા. કારણ કે વ્યક્તિની આ ટેવ તેને દરિદ્રતાના રસ્તે લઈ જાય છે. નીતિશાસ્ત્રના મુજબ જે વ્યક્તિ કડવુ બોલે છે, તે ક્યારેય શ્રીમંત નથી બની શકતો. બીજાને દુખી કરનારા પર મા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતી નથી આવા લોકોના તેમના સ્વભાવને કારણે અનેક લોકો દુશ્મન પણ હોય છે. 
 
ચાણક્ય અંતમાં કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય સૂનારા પર મા લક્ષ્મીની કૃપા નથી રહેતી.  કારણ વગર સૂઈ રહેવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે.  જે લોકો   બેઈમાન, અન્યાય કરનારા અને લુચ્ચા હોય છે, તેમની પાસે પણ પૈસો ટકતો નથી. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments