Webdunia - Bharat's app for daily news and videos

Install App

તેલંગાનામાં જો અમારી સરકાર બની તો મુસલમાનોની અનામત થશે ખતમ - અમિત શાહ

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2023 (18:32 IST)
તેલંગાનામાં ચૂંટણી પ્રચાર પોતાના ચરમ પર પહોચી ચુક્યો છે. 30 નવેમ્બરે અહી મતદાન થવાનુ છે અને એ પહેલા બધા દળોએ પોતાની પુરી તાકત પ્રચારમાં લગાવી દીધી છે. આ જ ક્રમમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રદેશમાં આજે જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે અનેક રોડ શો અને જનસભાઓ કરી. આ દરમિયાન તેમણે એક પ્રાઈવેટ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે રાજ્યમાં ચૂટણી મુકાબલો બીજેપી અને કેસીઆર વચ્ચે થશે. તેમણે કહ્યુ કે કોંગ્રેસને દૂર દૂર સુધી ફાઈટમાં નથી. આ સાથે જ તેમણે એલાન કર્યુ કે જો રાજ્યમાં સરકાર બની તો મુસલમાનોને મળનારી અનામત ઓબીસી અને આદિવાસીઓની વચ્ચે વહેચાઈ જશે. 
 
કેસીઆરને હરાવીને અમે  સરકાર બનાવીશું - અમિત શાહ
અમિત શાહે કહ્યું કે અમે અહીં કેસીઆર સરકારને હરાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે બીઆરએસએ વચન આપ્યું હતું કે જો સરકાર બનશે તો તે પછાત વર્ગના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવશે, પરંતુ એવું થયું નહીં. પરંતુ અમે વચન આપીએ છીએ અને અમે આ વચન પૂર્ણ કરીશું. બીજી બાજુ AIMIM અને તેના નેતા ઓવૈસી પર હુમલો કરતા કહ્યુ કે તેઓ ફક્ત તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે અને આવા લોકો જનતાનુ ભલુ નથી કરી શકતા.  અમિત શાહે કહ્યું કે અહીંની કેસીઆરની સરકારે છેલ્લા 10 વર્ષમાં માત્ર જનતા અને સરકારી તિજોરીને લૂંટી છે.
 
'ડબલ એન્જિનવાળી સરકાર જ રાજ્યનો વિકાસ કરી શકે છે'
આ સાથે અમિત શાહે કહ્યું કે જો ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં ધર્મ આધારિત અનામત નાબૂદ કરવામાં આવશે. આ સમાપ્ત થયા પછી, ઓબીસી અને આદિવાસી માટે અનામતમાં વધારો કરવામાં આવશે. કોંગ્રેસ અને બીઆરએસના મફત યોજનાઓના વચનો પર અમિત શાહે કહ્યું કે આ બંને પક્ષો દ્વારા જે પણ વચનો આપવામાં આવ્યા છે, કેન્દ્રની મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં લોકોને સમાન લાભો પહોંચાડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા સમજી ગઈ છે કે રાજ્ય અને તેનો વિકાસ ડબલ એન્જિનની સરકાર આવવાથી જ થઈ શકે છે, તેથી જનતા અમને પૂર્ણ બહુમતી આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments