Dharma Sangrah

સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજ્યંતિ

Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (07:39 IST)
દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ વિદ્યાર્થીઓના ગુરૂના પ્રથે આભાર વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે શાળામાં અનેક કાર્યક્રમ થાય છે. જીવનમાં ગુરૂના સ્થાન અન્ય કોઈ લઈ શકતુ નથી. ગુરૂને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ (5 સપ્ટેમ્બર) ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે.
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના રોજ 1962 થી શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. તેમને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. આ અવસર પર અમે આજે તમને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે કેટલીક જરૂરી વાતો બતાવી રહ્યા છે. જે કદાચ જ તમે જાણતા હશો.
 
- ડો.રાધાકૃષ્ણનનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. એવું માનવામાં આવે છે કે રાધાકૃષ્ણના પિતા ઇચ્છતા હતા કે તેમનો પુત્ર અંગ્રેજી ન શીખે અને મંદિરનો પુજારી બની જાય.
 
– PIB એક રિપોર્ટ મુજબ રાધાકૃષ્ણનમાં એટલી બધી પ્રતિભા હતી કે તેમને પહેલા તિરૂપતિ અને પછી વેલ્લોરની શાળામાં મોકલવામાં આવ્યા.
 
– ડો.રાધાકૃષ્ણન તેમના પિતાની બીજા નંબરની સંતાન હતા. તેમના ચાર ભાઈઓ અને એક નાની બહેન હતી, છ ભાઇ-બહેનો અને બે માતા-પિતા સહિત આઠ સભ્યોના આ પરિવારની આવક ખૂબ ઓછી હતી.
 
- ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને બાળપણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પ્રારંભિક જીવન તિરુતાની અને તિરૂપતિ જેવા ધાર્મિક સ્થળોમાં વીત્યુ.
 
- ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના મહાન વિદ્વાન, એક મહાન શિક્ષણશાસ્ત્રી, એક મહાન શિક્ષાવિદ્ય, મહાન વક્તા તેમ જ વૈજ્ઞાનિક હિન્દુ વિચારક પણ હતા. રાધાકૃષ્ણને તેમના જીવનના 40 વર્ષ એક શિક્ષક તરીકે વિતાવ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાયબરેલીમાં સ્કૂલના બાળકોથી ભરેલી વાન ખાડામાં પડી ગઈ.

મહાકાલ ભક્તો માટે મોટા સમાચાર: સાંજ અને શયન આરતી માટે બુકિંગ હવે ફક્ત ઓનલાઈન થશે; સમય અને ફીની વિગતો જાણો.

રેલ મુસાફરો માટે સારા સમાચાર: રેલ્વેએ આ 10 ટ્રેનોના ભાડા ઘટાડ્યા છે; યાદી તપાસો.

યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, કેરળમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું

હોળી-ધૂળેટી પર મુસાફરોને મોટી ભેટ: GSRTC દોડાવશે 1300 વધારાની એસટી બસો, જાણી લો રૂટ અને બુકિંગ વ્યવસ્થા

વધુ જુઓ..

ધર્મ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

આગળનો લેખ
Show comments