Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pukhra - તૂટી રહેલા સંબંધોના બંધનને મજબૂત કરે છે 'પુખરાજ'

Webdunia
બુધવાર, 11 એપ્રિલ 2018 (08:10 IST)
જ્યોતિષમાં પુખરાજને ખૂબ જ મહત્વનુ સ્થાન મળેલુ છે. ગુરૂ ગ્રહની મજબૂતી માટે પહેરાવવામાંઅ અવેલ પુખરાજ સંબંધોને મજબૂતી પ્રદાન કરવાની સાથે સાથે જાતકને માલામાલ કરે છે અને સંતાન સુખમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મહિલાઓની કુંડળીમાં ગુરૂ પતિનો કારક છે. તેથી જેમની કુંડ્ળીમાં ગુરૂની સ્થિતિ સારી ન હોય તેમણે પુખરાજ પહેરાવવાની સલાહ આપવામાં આવે છે. 
 
ગુરૂની મહાદશામાં પુખરાજ પહેરવો અત્યંત ફળદાયક હોય છે. પુખરાજને સોનાની આંગળીમાં ગુરૂવારના દિવસે નક્ષત્રમાં ધારણ કરવો જોઈએ. પુખરાજને વજન મુજબ ધારણ કરવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિનુ વજન 70 કિલો છે તો તેની 7 રત્તીનો નંગ ધારણ કરવો જોઈએ. 60 કિલોના વજન વાળાએ 6 રત્તીનો નંગ ધારણ કરવો જોઈએ. સારી ગુણવત્તાવાળા પુખરાજ કાંચની જેમ ચમકે છે.  પુખરાજ સાથે અન્ય રત્ન પહેરતા પહેલા કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.  
 
પુખરાજ બાળકોની બુદ્ધિને તીવ્ર કરે ક હ્હે અને તેમને સૌમ્ય બનાવે છે. મનની શાંતિ પ્રાપ્ત કરવાનો આ સર્વોત્તમ ઉપાય છે. આ નિસંતાનને સંતાન. ધન અને આયુનીની સાથે સાથે પ્રસિદ્ધિ પણ આપે છે. પુરૂષોની કુંડળીમાં ગુરૂ ખરાબ હોય તો સંતાનની ઉત્પત્તિમાં અવરોધ આવે છે. આવામાં પુખરાજ ધારણ કરવાથી સંતાનની ઉત્પત્તિમાં મદદ મળે છે. આ રત્ન સમજવાની અને વિચારવાની શક્તિને વધારે છે. આને પહેરવાથી ખરાબ વિચારો દૂર થાય છે. પુખરાજ રત્નની આ વિશેષતા છે કે આને ધારણ કરવાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતો અને આ ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ જ પહોંચાડે છે. 
 
પૂર્વ ક્રિકેટર અને ભાજપા નેતા નવજોત સિંહ સિદ્ધૂએ પણ પોતાના બંને હાથની અંગૂઠા પાસેની આંગળી પર ધારણ કરેલી છે. નવજોત સિંહ સિદ્ધૂની પત્ની નવજોત કૌરે પણ જમણા હાથની આંગળીમાં પણ પુખરાજ ધારણ કર્યો છે.  
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments