Webdunia - Bharat's app for daily news and videos

Install App

માનો કે ન માનો - નાની-નાની પણ કામની વાતો ...

Webdunia
શનિવાર, 17 જૂન 2017 (16:03 IST)
જીવનની કેટલીક વાતો છે જેને ભલે તમે અંધવિશ્વાસ સમજીને નકારી દો પણ કરવાથી જ તમને તેનુ ફળ મળે છે.  તેમા અંધવિશ્વાસ ભલે હોય પણ તેનો પ્રયોગ કરવાથી નુકશાન નહી પણ ફાયદો જ થશે. 
 
- સૂર્યાસ્ત સમયે કોઈપણ દૂધ-દહી કે ડુંગળી માંગવા આવે તો  ન આપો તેનાથી ઘરની બરકત સમાપ્ત થઈ જાય છે. 
 
- મહિનામાં એક વાર કોઈ પણ દિવસે ઘરમાં સાકર યુક્ત ખીર જરૂર બનાવીને પરિવાર સહિત એક સાથે ખાવ. અર્થાત જ્યારે આખો પરિવાર ઘરમાં એકત્ર હોય એ સમયે ખીર ખાશો તો માં લક્ષ્મીની જલ્દી કૃપા થાય છે. 
 
- ફળ ખૂબ ખાવ સ્વાસ્થ્ય માટે સારુ છે પણ તેના છાલટા કચરાપેટીમાં ન નાખશો પણ બહાર ફેંકો તેનાથી મિત્રો 
તરફથી લાભ થશે.  
 
- રાત્રે સૂતા પહેલા રસોડામાં ડોલ ભરીને મુકો તેનાથી કર્જથી મુક્તિ મળે છે અને જો બાથરૂમમાં ડોલ ભરીને મુકશો તો જીવનમાં ઉન્નતિના માર્ગમાં અવરોધ નહી આવે. 
 
- મુખ્ય દ્વાર પાસે ક્યારેય કચરાપેટી ન મુકો તેનાથી પડોશી શત્રુ થઈ જશે. 
 
- અગાશી પર ક્યારેય અનાજ કે પથારી ન ધોશો. હા સુકાવી શકો છો. આનાથી સાસરિયાઓ સાથે સંબંધો ખરાબ થાય છે  
 
- ગુરૂવારના દિવસે કોઈપણ પીળી વસ્તુ જરૂર ખાવ. લીલી વસ્તુ ન ખાશો. અને બુધવારે લીલી વસ્તુ ખાવ પણ 
પીળી વસ્તુ ન ખાશો તેનાથી સુખ સમૃદ્ધિ વધશે. 
 
- રાત્રે એંઠા વાસણ બિલકુલ ન મુકશો. તેને પાણીમાંથી કાઢીને મુકી શકો છો નુકશાનથી બચશો. 
 
- મહિનામાં એકવાર તમારા કાર્યાલયમાં પણ કંઈક મિષ્ટાન્ન જરૂર લઈ જાવ તેને તમારા મિત્રો સાથે કે તમારા હાથ નીચે કામ કરતા નોકરો સાથે મળીને ખાશો તો ધન લાભ થશે. 
 
-સ્નાન પછી ભીના કે એક દિવસ પહેલા વાપરેલ ટોવેલનો પ્રયોગ ન કરો. તેનાથી સંતાન હઠી અને પરિવારથી જુદી થવા માંડે છે. પોતાની વાત મનાવે છે. તેથી રોજ સ્વચ્છ અને સુકાયેલો ટોવેલનો જ પ્રયોગ કરો. 
 
- ક્યારેય પણ યાત્રામાં આખો પરિવાર એક સાથે ઘરમાંથી ન નીકળો. આગળ પાછળ જાવ તેનાથી યશની વૃદ્ધિ થશે. 
 
- આવા જ અનેક અપશકુન છે જેનુ આપણે ધ્યાન રાખીએ તો જીવનમાં કોઈપણ સમસ્યાનો સામનો નહી કરવો પડે અને સુખ સમૃદ્ધિ વધશે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments