Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવનની દરેક પરેશાનીથી મુક્તિ માટે અપનાવો લાલ કિતાબના આ ઉપાયો

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (06:24 IST)
લાલ કિતાબ પર આધારિત ઘણા ઉપાયો એવા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિશાળી બનાવી શકીએ છીએ. આ પુસ્તક જીવન સાથે સંબંધિત લગભગ બધી સમસ્યાઓનો ઉકેલ માટે જાણીતુ છે.  તેમા બધા પહેલુઓ સાથે જોડાયેલ સમસ્યાઓનો ઉપાય તેમા આપેલો છે. આ ઉપરાંત આ ઉપાયો ફક્ત તમને જ ઠીક નથી કરતા પણ આનાથી તમારી આસપાસની બીજી વસ્તુઓ પણ ઠીક થઈ જાય છે.  આ સંપૂર્ણ રીતે વાતાવરણ સાથે અનુકૂળ છે.  ખુદ અનુભવ કરવા માટે અપનાવો કેટલાક ટોટકા જેનાથી સંસારની દરેક ખુશી તમને મળી જશે. 
 
આર્થિક સમસ્યા -  જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન રહો છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી નાની  વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો. 
 
ધન માટે - આ માટે તમે ઘર, દુકાન કે શો-રૂમમાં એક અલંકારિક ફુવારો મુકો અથવા એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછલી મુકો. તેને ઉત્તર કે ઉત્તરપૂર્વ તરફ મુકો.  જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી તેમા નાખી દો. 
 
પરેશાનીથી મુક્તિ માટે - આજકાલ દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણથી પરેશાન છે. કારણ કોઈપણ હોય તમે એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ જળને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે.  
 
કુંવારી કન્યાના વિવાહ હેતુ - જો કન્યાના લગ્નમાં કોઈ  અવરોધ આવી રહ્યો હોય તો પૂજાવાળા 5 નારિયળ લો. ભગવાન શિવની મૂર્તિ કે ફોટો આગળ મુકીને ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ: મંત્રનો પાંચ માળા જાપ કરો. પછી પાંચેય નારિયળ શિવજીના મંદિરમાં ચઢાવી દો. વિવાહના અવરોધો આપમેળે જ દૂર થતા જશે. 
 
વેપાર વધારવા માટે - શુક્લ પક્ષમાં કોઈપણ દિવસે તમારી ફેક્ટરી કે દુકાનના દરવાજાની બંને બાજુ બહારની તરફ થોડો ઘઉંનો લોટ મુકી દો. ધ્યાન રાખો કે આવુ કરતા તમને કોઈ જોઈ ન લે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments