Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેંક બેલેંસ વધારવુ હોય કે ખિસ્સામાં મુકેલા પૈસા, દરેક સમસ્યા માટે આ ટોટકા અપનાવી જુઓ

Webdunia
શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (12:01 IST)

ટોટકા એવી વસ્તુ છે જે સાધનાનું પણ સાધન છે અને ઈચ્છિત ફળ પ્રાપ્તિનુ પણ. ટોના-ટોટકા અનંત શક્તિઓનો ભંડાર હોય છે. ટોટકા કરવાનુ સ્થાન પવિત્ર, શુદ્ધ અને સ્વચ્છ હોવુ જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ટોટકા કે ઉપાય કરતી વખતે શ્રીમહાલક્ષ્મીનુ દિવ્ય રૂપ સદૈવ તમારા હ્રદયમાં રાખો. લક્ષ્મીનું આભામય રૂપ સ્વર્ણિમ તેજથી આલોકિત છે. તેમની ઉપસ્થિતિ જીવનને અલોકિત કરી દેવા માટે પૂરતી છે. જરૂર છે તેમને બોલાવવાની. ઉપાયથી જીવનના બધા રોગ, કષ્ટ, ઉપાધિ, પીડા, મનોવિકાર માનસિક પરેશાનીયો સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં અન્ન-ધન, સુખ સમૃદ્ધિ અને બરકતનો વાસ રહે છે. 

 
- સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે. 
 
- આસોપાલવનું ઝાડ લગાવવાથી અને તેને સીંચવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
- આસોપાલવના ઝાડની જડનો એક ટુકડો પૂજા ઘરમાં મુકવો અને રોજ તેની પૂજા કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી. 
 
- સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
- પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ ન આખી દો. પછી પોતું મારો. તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. 
 
- જો પતિ પત્ની વચ્ચે ઝગડો થતો રહે છે તો પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે. 
 
- સદા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ કરીને સૂવો. પૂર્વની તરફ માથુ કરીને સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને સૂવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે. 
 
- તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો. તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો. 
 
- મકાનના ઉત્તરી અને પૂર્વ ભાગમાં ખાસી સ્થાન વધુ હોય. તેનાથી વેપાર વૃદ્ધિ સાથે આર્થિક ઉન્નતિમાં પણ વૃદ્ધિ થાય છે. 
 
- તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો. એકમાં થોડા રૂપિયા મુકીને બંધ કરો અને તેમાથી રૂપિયા કાઢશો નહી. બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો. 
 
- ઘરમાં તૂટેલુ ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કતરનો પડી હોય તો તેને તરત જ ઘરમાંથી બહાર કરો. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments