Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોકરી મેળવવા અજમાવો આ 10 ઉપાય, જરૂર મળશે સફળતા

Webdunia
ગુરુવાર, 12 મે 2022 (00:47 IST)
આજે બેકારી એ સૌથી મોટી સમસ્યા છે. અનેક ડીગ્રીઓ અને અનેક પ્રયાસો  છતાં ક્યારેક એવુ બને છે કે કોઈ રોજગાર નથી મળતો અને મળે તો એવો જેમા ખુશી નથી મળતી. આવા સમયે હવે લોકોએ પરેશાન અને નિરાશ થવાની જરૂર નથી. જ્યોતિષ શસ્ત્રોમાં તમામ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ વર્ણવવામાં આવ્યું છે. કેટલાક પ્રભાવશાળી ઉપાયથી તમે તમારા નિરાશાજનક દિવસોને ખુશીઓમાં બદલી શકો છો. તો મિત્રો આજે અમે આપને માટે લાવ્યા છે નોકરી મેળવવા માટે કેટલાક સહેલા ઉપાય વિશે મહિતી  
 
- સવાર સવારે પક્ષીઓને દાણા ખવડાવવાથી પણ નોકળી મેળવવામાં આવતા અવરોધ દૂર થઈ જાય છે. પક્ષીઓને  રોજ સાત પ્રકારના અનાજના દાણા નાખો. તમને નોકરી જરૂર મળશે. 
 
- મહિનાના પ્રથમ સોમવારે સફેદ કપડામાં કાળા ચોખા બાંધીને મહાકાળીને અર્પિત કરો  
 
-ઈન્ટરવ્યુમાં જતા પહેલા એક લીંબુ લો અને તેના પર ચારેય દિશામાં ચાર લવિંગ લગાવો. તેની સાથે 'ઓમ શ્રી હનુમંતે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો અને પછી તેને તમારી પાસે રાખો. જ્યારે પણ તમે ઈન્ટરવ્યુમાં જાઓ ત્યારે આ કરો અને તમારી સાથે લીંબુ લઈ જાઓ.  નોકરી જરૂર મળશે.
 
-સારા કામ માટે બજરંગ બલીની પૂજા કરો. તમારા ઘરમાં ભગવાન હનુમાનની એવી તસવીર લગાવો જેમાં તેમનુ ઉડતુ ચિત્ર  હોય. દરરોજ તેમની પૂજા કરો, તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમને જલ્દી જ નોકરી મળી જશે. 
 
- ઈન્ટરવ્યુમાં જતી વખતે ચણા કે લોટના પેડામાં ગોળ મુકીને ગાયને ખવડાવવાથી પણ નોકરીની સંભાવના વધે છે. ધ્યાન રાખો કે તમે આ ગાયને પોતાના હાથે ખવડાવો, તો જ તેનું ફળ મળશે.  
 
- જે દિવસે ઈન્ટરવ્યુ હોય તે દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો. નહાવાના પાણીમાં થોડી હળદરનો પાવડર મિક્સ કરો. આ પછી ભગવાનની સામે 11 અગરબત્તીઓ પ્રગટાવીને તમારી મનોકામના કહો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
 
-જો તમે દર શનિવારે શનિદેવની પૂજા કરશો તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. દર શનિવારે તેમની પૂજા કરતી વખતે 108 વાર 'ઓમ શનૈશ્ચરાય નમઃ' નો જાપ કરો. તમારી રાશિના તમામ અવરોધો દૂર થશે અને કામ જલ્દી થશે. 
 
- ઈન્ટરવ્યુ આપતા પહેલા દહીં અને સાકર ખાઈને ઘરની બહાર નીકળો. ઘરની બહાર નીકળતી વખતે તમારો જમણો પગ આગળ રાખો. વડીલોએ કહેલી વાત ખરેખર અસરકારક છે.
 
- જ્યારે પણ તમે ઈન્ટરવ્યુ માટે જવા માંગતા હોવ તો તે દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. ઇન્ટરવ્યુમાં સફળ થયા પછી જ તમે પાછા આવશો.
 

સંબંધિત સમાચાર

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

Jamnagar News - જામનગરના ધ્રોલમાં સ્કૂલની જૂની બિલ્ડીંગ ધરાશાયી, બે બાળકો દટાયા, એકનું મૃત્યુ

અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા

Weather Gujarat- અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાતીઓ, હીટવેવ-લૂ ની તીવ્રતા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments