Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાઇન ફ્લુ : સાથે મળી કરીએ મુકાબલો

હરેશ સુથાર
P.R
અમેરિકા, ચીન, જાપાન સહિતના દેશોને હચમચાવ્યા બાદ હવે સ્વાઇન ફ્લુ દેશમાં મોત બની ત્રાટક્યો છે. પૂના, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ તથા વડોદરામાં પોતાનો કાળો પરચો બતાવી આ મહામારીએ ચેતવણીનો ઘંટ વગાડ્યો છ ે.

એક પછી એક શહેરો, નગરો એના સકંજામાં આવતા જાય છે. લોકો આતંકવાદની જેમ સ્વાઇન ફ્લુથી ફફડી રહ્યા છે. ભય તથા અફવાનું બજાર ગરમાઇ રહ્યું છે. આ રોગ ભયાનક છે એ વાસ્તવિક છે પરંતુ આવા સમયે ધીરજ અને સાથે મળી આનો પડકાર કરવો એજ એક યોગ્ય ઉપાય છે.

છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ મોત થયા છે. સોમવારે સવારે પૂના, ચેન્નાઇ અને વડોદરામાં એક એક મોત થતાં મૃતકોનો આંકડો 10 થયો છે. ગુજરાતમાં રવિવારે સવારે એનઆરઆઇ પ્રવિણ પટેલના રૂપમાં સ્વાઇન ફ્લુએ કાળની શરૂઆત કરી હતી. ત્યારબાદ વડોદરામાં સાત વર્ષની બાળકી આર્યાએ આ રોગથી આજે દમ તોડ્યો છે.

ધીરે ધીરે આ રોગ પોતાનો પંજો ભારે કરી રહ્યો છે. આવા કટોકટીના સમયે હડબડાટીમાં આવ્યા વિના સૌ કોઇની ફરજ થઇ પડે છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા સુચનોનું પાલન કરવું. સાવચેતી એજ સ્વાઇન ફ્લુનો ઉપાય છે એ વાત વગાડી વગાડીને કાનમાં ઉતારવી જરૂરી છે.

* મેક્સિકોમાં સૌ પ્રથમ 18મી માર્ચે પ્રકાશમાં આવેલ એચ1એન1 વાયરસ ભારતમાં 29મી મેના રોજ દેખાયો હતો. જોકે ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ વાયરસ કમજોર પડ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આમ ખોટો ભય ફેલાવ્યા વિના આ મહામારી અંગે સાવચેતી એ જ સાચો ઉપાય છે.

* જાહેર સ્થળો એ કે ભીડવાળા વિસ્તારોમાં જવું ટાળવું. જો જવું જ પડે તો મોં ઉપર માસ્ક લગાવવો તથા બિન જરૂરી કોઇના સંપર્કમાં ન આવવું.
* આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોય ખાસ તકેદારી રાખવી.
* દિવસમાં એકથી વધુ વાર સાબુથી હાથ ધોવા. જ્યારે પણ બહારથી ઘરમાં કે ઓફિસમાં આવો ત્યારે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
* શક્ય હોય તો આવા સમયમાં કામ વગર ઘરની બહાર નીકળવું નહીં અને સિનેમા કે મોલમાં જવાનું ટાળવું.
* શરદી, ઉધરસ, તાવ અને માથું દુખવાની બિમારી જણાય તો તુરંત હોસ્પિટલમાં જઇ તપાસ કરવવી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments