Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી સુધા : શરદી, ખાંસી તાવનો અક્સર ઈલાજ

Webdunia
P.R
તુલસીના પાંદડાને ગોળ અને લીંબુ સાથે મિક્સ કરી સ્વાદિષ્ટ પીણું તુલસી સુધા બનાવી શકાય છે. તમે આને તુલસીનું શરબત પણ કહી શકોછો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે શરદી, તાવ, ખાંસી, માથાનો દુખાવો અને પેટના ગેસ સહિત એસિડિટી જેવા રોગોનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ હોય છે. પાચન માટે તે સારું હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. જાણીએ તે બનાવવાની રીત...

સામગ્રી - અંદાજે 100 તુલસીના પાંદડા. 3/4 કપ ગોળ, 5 લીંબુનો રસ, 10 નાની ઇલાયચી, 10 કપ પાણી.

બનાવવાની રી ત- લીંબુનો રસ કાઢી લો. તુલસીના પાંદડા અને ઇલાયચીને લીંબુના રસ સાથે બારીક પીસી લો. પાણીમાં ગોળ નાંખી ઉકળવા મૂકી દો અને ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. પાણી થોડું ગરમ રહે એટલે તેમાં તુલસી અને લીંબુના રસ સાથે બનાવેલી ઇલાયચીની પેસ્ટ નાંખી 2 કલાક માટે ઢાંકીને મૂકી દો.

સારી રીતે ઠંડુ થાય એટલે તુલસીનું શરબત ગાળી લો. તૈયાર છે તુલસી સુધા અર્થાત્ તુલસીનું સ્વાદિષ્ટ શરબત. ગરમીની ઋતુમાં ઠંડા કે સામાન્ય તાપમાન પર તુલસી સુધા પીવો અને શિયાળામાં તમે ગરમ-ગરમ ચાની જેમ પણ આ શરબતનું સેવન કરી શકો છો. તમે તુલસી સુધા ફ્રીઝમાં રાખી મૂકીને 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments