Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં મહાત્મા ગાંધીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીબેનનું નિધન

Webdunia
શુક્રવાર, 8 મે 2020 (17:25 IST)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીબેન ગાંધીનું આજે સુરતના ભીમરાડમાં નિધન થયું છે. શિવાલક્ષ્મીબેન ગાંધીજીના પુત્ર રામદાસના ત્રીજા નંબરના દીકરા કનુભાઈ ગાંધીના પત્ની હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને આજે તેમણે સુરતમાં લૉકડાઉનમાં અંતિમ શ્વાસ લીધા હતા. કનુભાઈ લાંબા સમયથી સુરત રહેતા હતા પરંતુ તેમના નિધન બાદ ભીમરાડ ગામના બળવંત પટેલ અને તેમનો પરિવાર શિવાલક્ષ્મીબેનની ચાકરી કરી રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી. અઢી મહિના પૂર્વે ઘરમાં ચાલતા ચાલતા એકાએક બેસાય જવાતા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ત્યારબાદ તેમની મહાવીર હોસ્પિટલમાં સારવાર કરાવતા ફરી તેઓ નોર્મલ થઈ ગયા હતા. જોકે ત્યારપછી તેમનો ખોરાક ઓછો થઈ ગયો હતો. જેના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હતી. એક અઠવાડિયા પહેલા ઘરમાં બેભાન થઈ જતા. તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગુરુવારે રાત્રે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments