rashifal-2026

વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બાબાને ઘડિયાળ ચડાવવાની માનતા માને છે લોકો

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (12:36 IST)
વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નં-8 પર આશરે 200 વર્ષ જુની ઘડિયાળી બાબાના નામે જાણીતી હજરત બાલાપીર બાબાની દરગાહ આવેલી છે. દેશભરના હિન્દુ-મુસ્લિમ સહિત દરેક ધર્મના લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ દરગાહ છે અને શ્રદ્ધાળુઓમાં બાબા પર અતૂટ વિશ્વાસ છે. અને ઘડિયાળી બાબા મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધા લોકો ધરાવે છે. જેથી મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ બાલાપીરની દરગાહ પર ઘડિયાળ ચડાવે છે. બાલાપીરની દરગાહ ઘડિયાળી બાબાના ઉર્સ શરીફની આજે ધામધૂમપૂવર્ક ઉજવણી કરવામાં આવનાર છે.  આજથી અંદાજે 200 વર્ષ પહેલા આ જગ્યા પર હજરત બાલાપીર બાબા વસવાટ કરતા હતા. તેમના નિધન બાદ તેમના જ ભક્તોએ અહીં આ દરગાહ બનાવી હતી. વર્ષોથી એક હિન્દુ પરિવાર બાલાપીરની સેવા આપે છે. હજરત બાલાપીરની દરગાહ ચમત્કારી હોવાનું તેમના ભક્તો છે. દરરોજ અહીં આવીને લોકો ફુલ, ચાદર અને ઘડિયાળ ચડાવે છે. ખાસ કરીને ગુરૂવારે હજરત બાલાપીર બાબાની દરગાહ પર લોકોની ભારે ભીડ જામે છે. અને રસ્તા પર આવતા જતા લોકો અચૂક બાબાના દર્શન કરે છે. શ્રદ્ધાળુઓ પોતાની ઇચ્છાપૂર્તી માટે બાલાપીરના દર્શન કરીને બાધા રાખે છે. મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ હજરત બાલાપીરની દરગાહ પર જઇને ઘડિયાળ, ફુલ અને ચાદર ચડાવીને પોતાની માનતા પુરી કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

વધુ જુઓ..

નવીનતમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments