Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત: સેનિટાઇઝર સળગે છે કે નહી, પ્રયોગ કરતાં દુકાનમાં લાગી આગ

Webdunia
શનિવાર, 3 ઑક્ટોબર 2020 (10:09 IST)
સુરત શહેરના પાલનપુરગામ સ્થિત એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે ઓનલાઇન કામ કરનારની દુકાનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે સેનિટાઇઝર પર પ્રયોગ કરવાના કારણે આગ લાગવાની સંભાવના છે, એવી ચર્ચા ચાલી રહી છે. 
 
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર પાલનપુર ગામમાં ફાયર સ્ટેશનની પાસે સેવિયોન શોપિંગ સેન્ટરના ચોથા માટે આવેલી દુકાનમાં ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ગઇકાલે સાંજે અચાનક આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ફાયરબ્રિગેડના જવાનો તથા અડાજણ, મોરભાગલ, પાલનપુર ફાયરસ્ટેશને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટનાસ્થળ પહોંચી ગયા. 
 
ફાયરકર્મીઓને એક કલાકથી ઓછા સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી આસપાસના દુકાનદારો સહિત અન્ય લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગમાં 19 વર્ષીય સોહમ શાહના બંને હાથ સળગી ગયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 
 
ફાયર વિભાગના સૂત્રોના અનુસાર સ્થાનિક લોકો કહી રહ્યા છે કે યુવક સેનિટાઇઝર સળગે છે નહી તે પ્રયોગ કરી રહ્યો હતો અથવા એક વ્યક્તિ સિગરેટ પીવા ગયો હતો. જોકે સેનિટાઇઝર પર પ્રયોગ કરવાના કારણે આગ લાગવાની ચર્ચા છે. પરંતુ આગ લાગવાનું સાચું કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

આગળનો લેખ
Show comments