Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્વીટર ટાઉનહોલમાં જનતાના હજારો પ્રશ્નોની રજુઆતથી સીએમ રૂપાણી હાંફે ચડ્યાં

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (17:15 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જનતા સાથે સીધો સંવાદ સાધવા આધુનિક ટેકનોલોજીમાં ટ્વિટરનો સહારો લીધો હતો અને આજે શુક્રવારે ટ્વિટર ટાઉનહોલ યોજ્યો હતો.   સીએમ રુપાણીએ યોજેલા ટ્વિટર ટાઉનહોલમાં હજારો ટ્વિટરપ્રેમીઓએ પોતાની સરકારના વડાને મૂંઝવી નાંખે એવા હજારો સવાલોનો મારો ચલાવ્યો હતો. જોકે સીએમ રુપાણીએ બને ત્યાં સુધી મુદ્દા આધારિત પ્રશ્નોના પોતાના @vijayrupanibjp પર જવાબ આપી દીધાં છે.  સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વિજય રૂપાણીને ટ્વીટર પર 30 હજારથી વધુ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન, ફિક્સ પગારદારો, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનો સરકારી કાર્યક્રમમાં ઉપયોગ, દલિતોની માંગ, મોંઘવારી જેવા ગુજરાતના સળગતા પ્રશ્નોથી સીએમ વિજય રૂપાણીને અકળાવી નાંખ્યા હતા. સીએમ રુપાણીને પોતાના આ ટાઉનહોલમાં જનતાએ જે પ્રશ્નો સૌથી વધુ પ્રશ્નો ફિક્સ પે સંદર્ભે પૂછાયાં હતાં. મુખ્યપ્રધાનને આ સાથે ટેરરિઝમ, બૂટલેગિંગ સહિત પાટીદાર અનામત, ભરતી, પીવાનું શુદ્ધ પાણી,વધુ પડતાં વેરા, ટ્રાફિક, રખડતાં ઢોર પર પ્રશ્નો પૂછાયાં હતાં. સીએમ રુપાણીએ પોતાના ટ્વિટર ટાઉનહોલને મળેલી સફળતા માટે જનતાનો આભાર પણ ટ્વિટર પર માની લીધો હતો. અને આટલા બધા ટ્વિટનો જવાબ આપવો શકય ન હોઈ તેમણે રેન્ડમલી ટ્વીટ લઈને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ ટાઉનહોલની બીજી બાજુ પણ હતી. મુખ્યપ્રધાનના આ ટ્વિટર ટાઉનહોલમાં કોંગ્રેસ આઈટી સેલ અને પાટીદારોએ આકરા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ગુજરાતના ઉત્સવો, મેળાવડાઓ પર સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચાના સંદર્ભે જનતાએ બળાપો વ્યકત કર્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments