Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 માર્ચ પછીના મોદી અને રૂપાણીના કાર્યક્રમો રદ થતાં હવે માર્ચમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (12:46 IST)
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અને ખાસ કરીને રાજ્યના નેતાઓના કાર્યક્રમો અંગે મળતી માહિતી પ્રમાણે આવનારી 7 માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન મેના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે. પીએમના  બે દિવસીય ગુજરાત પ્રવાસ બાદ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ગુજરાત સરકારે 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈ 6 માર્ચે મહાત્મા મંદિરમાં યોજાનારા પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને સામૂહિક ગૃહ પ્રવેશના કાર્યક્રમ પછીના જાહેર અને સરકારી કાર્યક્રમો હાલ અટકાવી દીધા છે. 2014ની જેમ મેના અંતમાં નવી સરકારની શપથવિધિ યોજાશે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 2014ની 26 મેના રોજ શપથ લીધા હતા. આમ આ સરકારનો કાર્યકાળ મેમાં પુરો થઈ જશે. જેથી નવી સરકાર પણ મેના અંત સુધીમાં બની જવી જરૂરી હોવાથી 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થશે.  2014માં 5 માર્ચના રોજ ચૂંટણી જાહેર થઈ હતી. પરંતુ 5 અને 6 માર્ચ સુધી પીએમ ગુજરાત અને તમિલનાડુના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમના આ નિર્ધારિત કાર્યક્રમો બાદ ચૂંટણી જાહેર થશે. 2014માં 5મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી અને ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આમ જો હવે 7 માર્ચે ચૂંટણી જાહેર થાય તો ગુજરાતમાં 2મેના રોજ મતદાન યોજાઈ શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments