rashifal-2026

આજે શ્રાવણનો પ્રથમ સોમવાર, કરો આ ઉપાય શિવજી થશે પ્રસન્ન

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (10:29 IST)
આજે શ્રાવણનો પ્રથમ સોમવાર. આજે નાગપંચમી પણ છે. નાગપંચમી અને શ્રાવણનો સોમવાર આવવો એક શુભ સંકેત છે આજે કેટલાક ઉપાય દ્વારા તમે શિવજીને પ્રસન્ન કરી શકો છો. 
 
શ્રાવણના સોમવારનું વ્રત: શ્રાવણ મહિનામાં સોમવારે જે ઉપવાસ કરવામાં આવે અને શિવજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તેને શ્રાવણના સોમવારનું વ્રત કહેવામાં આવે છે. સોમવારનો દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે.
 
સોળ સોમવારનું વ્રત: શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે.
 
શ્રાવણ મહિનાથી સોળ સોમવારનું વ્રત
 
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ કરીને 16 સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથને આ વ્રત અત્યંત પ્રિય છે. આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણના સ્નાનની વિશેષ પરંપરા છે. શ્રાવણ મહિનામાં બિલ્વપત્રથી ભગવાન શિવની પૂજા કરવાથી અને તેમનો જળાભિષેક કરવાથી ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરનારા ભક્તોની મનોકામનાઓ ભગવાન શિવ અચૂક પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જાય છે.
 
શ્રાવણ મહિનાનું વ્રત અને પૂજા વિધિ
 
- સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું.
- ઘરના મંદિરમાં પૂજા-અર્ચના કરવી.
- શિવલિંગ પર દુધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું.
- શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો.
- આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા-અર્ચના કરવી.
- પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા.
- ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળીયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા.
- વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચુક વાંચવી.
- પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો.
- સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments