Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jaya Parvati Vrat 2023 - જયા પાર્વતી વ્રત કઈ તારીખે છે

Webdunia
મંગળવાર, 23 મે 2023 (11:39 IST)
Jaya Parvati Vrat 2023 – જયા પાર્વતી વ્રત (Jaya Parvati Vrat) આ વ્રતને ગોરો એટલે મોળાકત કે અલુણા વ્રત તરીકે પણ ઓળખાય છે. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ વખતે 2023 ત્રયોદશીનો દિવસ એટલે કે 1 જુલાઈ 2023 શનિવાર થી આ વ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે. 
 
અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રત કરવા નું હોય છે. આ બન્ને વ્રત માં મોળું જમવાનું હોય છે.
 
આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે. બાળકોની સુખાકારી વધે છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે.  શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે, આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ  અને વધુમાં વધુ વીસ વર્ષ  સુધી કરે છે.
 
આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી 'જય જય ગિરીબર રાજ કિશોરી' પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments