Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાદ્ધ પક્ષ - આ રીતે કરો પિતૃદોષ નિવારણ

Webdunia
આપણા ઘર્મ ગ્રંથોમાં પિતૃદોષને જીવનમાં અનેક મુશ્ક્લીઓનું કારણ માનવામાં આવે છે. જેને કારણે કોઈપણ વ્યક્તિનું જીવન બદતર બની શકે છે. આ પિતૃદોષ ઊંડા માનસિક, શારીરિક અને આર્થિક દુ:ખોનુ કારણ પણ બની શકે છે. શ્રાદ્ધ પક્ષમાં જો પિતૃદોષ શાંતિ માટે ઉપાય કરવામાં આવે તો તેનુ ફળ તરત જ મળી જાય છે. આજથી શ્રાદ્ધપક્ષની શરૂઆત થઈ રહી છે તેથી પિતૃદોષથી છુટકારો મેળવવા માટે એક સામાન્ય ઉપાય કરો. 

રોજ સવારે સ્નાન કરી તાંબાના લોટામાં પાણી ભરીને તેમા સફેદ આંકડાના ફૂલ નાખો અને ઉગતા સૂરજને અર્ધ્ય આપો. અર્ધ્ય આપતી વખતે નીચે લખેલ મંત્રનો 21વાર જપ કરો

ૐ સૂર્યાય નમ :

ત્યારબાદ પિતૃઓની પ્રશંસા માટે ઘરના પૂજાના સ્થાન પર દીવો, અગરબત્તી સળગાવો. પૂજાના સમયે નીચે લખેલ મંત્ર 21 વાર જાપ કરો

ૐ પિતરાય નમ :

અન્ય ઉપાય - 

પિતૃદોષ નિવારણ યંત્રનું ઘરમાં સ્થાપન કરી સવા લાખ મહામૃત્યુંજય મંત્રના જાપ કરાવીને કોઇ પણ પવિત્ર નદીના વહેતા જળમાં યંત્રનું વિસર્જન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.
- પાણિયારે આડી વાટનો દીવો પ્રગટાવી, ધૂપદીપ ૪૧ દિવસ સુધી કરવા અને પિતૃઓને વંદન કરી પ્રાર્થના કરવાથી પિતૃ નડતા નથી.
- ‘વિષ્ણુ સહસ્ત્ર નામ’નો પાઠ ઘેર તુલસી ક્યારા પાસે દીવો-અગરબત્તી કરીને કરવાથી પિતૃઓ શાંત થાય છે.
- દર અમાસે- ‘સર્વ પિતૃ મનોકામના શાંતિ કુરુ કુરુ સ્વાહા’ મંત્રનો જાપ કરવાથી અને અમાસના રોજ જમ્યા પહેલાં ભોજન તૈયાર કરીને પિતૃઓને ધરાવી તે ભોજન ગાય, કૂતરા, કાગડાને આપી પછી ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે.
- પશ્ચિમ નદીકિનારે કે એકાંત શિવાલય આગળ બેસી ચંડીપાઠ કે લઘુરુદ્ર કે નારાયણ બલિ, ત્રિપિંડી શ્રાદ્ધ સહિત કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Periods blood stains removing- બેડશીટ પર પીરિયડ્સ બ્લ્ડના ડાઘા દૂર કરવાના ટીપ્સ

Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર

વેલેન્ટાઈન વીક દરમિયાન તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરતી વખતે આ ભૂલો ન કરો, તેનાથી બ્રેકઅપ થઈ શકે છે

Valentine Special- રેડ વેલ્વેટ પેનકેક

Egg Masala Bread Toast Recipe એગ મસાલા બ્રેડ ટોસ્ટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima 2025: પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, પૂર્વજો થશે પ્રસન્ન

માઘ પૂર્ણિમાના દિવસે આ 2 રાશિઓનું ખુલી જશે ભાગ્ય ખુલશે, તૈયાર થઈ જાઓ - તમારું બદલવાનું છે તમારું નસીબ

Magh Purnima 2025: માઘ પૂર્ણિમા પર આ વસ્તુઓ દાન કરવાથી મળે છે પુણ્યફળ

આગળનો લેખ
Show comments