Festival Posters

Pitru Paksha 2024: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખતે ન કરશો આ ભૂલ

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (15:53 IST)
pitru paksha
 Pitru Paksha 2023: પિતૃ પક્ષ આજથી એટલે કે બુધવાર (18 સપ્ટેમ્બર 2024)થી શરૂ થયો છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી અને શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મોક્ષ અને સુખ-શાંતિની પ્રાપ્તિ કરે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પાણી આપવાથી તેમના આત્માને સંતોષ અને મુક્તિ મળે છે. ભાદરવાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી પિતૃ પક્ષ શરૂ થાય છે જે  ભાદરવા મહિનાના નવા ચંદ્રના દિવસે (2  ઓક્ટોબર 2024) સમાપ્ત થશે. તો ચાલો  જાણીએ કે ઘરમાં પિતૃઓનું સ્થાન અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન તેમને કયા સમયે જળ અર્પિત કરવુ  જોઈએ.
 
પિતૃઓને જળ કેટલા વાગે આપવું જોઈએ?
શ્રાદ્ધ કરતી વખતે પૂર્વજોનું તર્પણ પણ કરવામાં આવે છે એટલે કે અંગૂઠા દ્વારા મૃતક પરિજનોને જલાંજલિ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓને અંગૂઠાથી જળ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર હથેળીનો જે ભાગ જ્યાં અંગૂઠો હોય છે તેને પિતૃ તીર્થ કહેવામાં આવે છે. પિતૃઓને જળ અર્પણ કરવાનો સમય સવારે 11:30 થી 12:30 સુધીનો છે. પિતૃઓને જળ અર્પણ કરતી વખતે, કાંસા અથવા તાંબાના વાસણનો ઉપયોગ કરો.
 
પિતૃઓને જળ કેવી રીતે આપવું જોઈએ?
તર્પણ સામગ્રી લીધા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ. આ પછી હાથમાં પાણી, કુશ, અક્ષત, ફૂલ અને કાળા તલ લઈને બંને હાથ જોડીને પિતૃઓનું ધ્યાન કરો અને તેમને આમંત્રિત કરો અને જળ ગ્રહણ કરવાની પ્રાર્થના કરો. આ પછી પૃથ્વી પર અંજલિનું પાણી 5-7 કે 11 વાર છોડો.
 
ઘરમા પિતરોનુ સ્થાન ક્યા હોવુ જોઈએ  ?
 
વાસ્તુ મુજબ દક્ષિણ દિશાને યમની દિશા પણ કહેવામાં આવે છે. આવામાં પિતરોની તસ્વીર હંમેશા ઉત્તર દિશા તરફ લગાવવી જોઈએ. સાથે જ પિતરોનુ મોઢુ દક્ષિણ દિશા તરફ હોવુ જોઈએ. બીજી બાજુ બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વજોની તસ્વીર ન લગાવવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે આ સ્થાન પર પૂર્વજોની તસ્વીર મુકવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ પર અસર પડે છે. આ વાતનુ પણ ધ્યાન રાખો કે ઘરમાં એકથી વધુ પૂર્વજોની તસ્વીરો ન મુકવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ વાતનુ પણ ધ્યાન રાખો કે પૂર્વજોની તસ્વીરો ટાંગવી ન જોઈએ. તેમની તસ્વીર એક લાકડાના પાટલા પર મુકવી જોઈએ.  સાથે જ ઘરના મંદિર કે રસોડામાં પણ પૂર્વજોની તસ્વીરો ન લગાવવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments