Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ગેરકાયદે ચલાવતા કોલ સેન્ટરો પર સીબીઆઈએ તવાઈ બોલાવી, 13 સંચાલકો સામે ફરિયાદ

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2023 (12:35 IST)
અમદાવાદમાં ગેરકાયદે ચલાવતા કોલ સેન્ટરો પર સીબીઆઈએ તવાઈ બોલાવી છે. અમદાવાદ ખાતેથી કોલ સેન્ટરો ચલાવી વિદેશના નાગરિકોને ટાર્ગેટ કરતા છેતરપિંડીકારો પર CBIએ કાર્યવાહી કરી છે. CBIએ  કોલ સેન્ટર કંપનીના 13 સંચાલકો સામે ફરિયાદ નોંધી છે.

અમદાવાદમાં કોલ સેન્ટને લઇ CBI એક્શન મોડમાં જોવા મળી રહી છે. CBIએ  કોલ સેન્ટર કંપનીના 13 સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. IP એડ્રેસ અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ માટે વિશેષ ટીમ પણ બનાવાઇ છે. કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા 157 કરોડની છેતરપિંડી આચરી છે. જે કોલ સેન્ટર કંપનીના 13 જેટલા સંચાલકો સામે સીબીઆઇએ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના નવરંગપુરા દિનેશ હોલ પાસે આવેલા શ્રેયસ કોમ્પ્લેક્ષ 3માં આવેલી સંપર્ક સોફ્ટેક પ્રા.લિના ગૌરવ ગુપ્તા, પ્રવિણ અન અન્ય લોકો દ્વારા અમેરિકામાં વીઓઆઈપીની મદદ કોલ કરીને ઓનલાઈન લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ધમકાવી ડરાવીને આ કામ કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યુ છે.અત્રે જણાવીએ કે, સમગ્ર મામલે CBIને ઈનપુટ મળ્યા હતા જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments