Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં અડધી સદી જુનુ શિવ મંદિર તોડી પડાતા લોકો વિફર્યા

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (13:00 IST)
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી 50 વર્ષ જૂનું શિવજી મંદિરને મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનામાં સ્થાનિક અને શ્રદ્ધાળુ લોકોનું કહેવું છે કે, AMCએ કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ મંદિરને ધરાશાયી કરી દેવામાં આવ્યું છે, જેથી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક અને શ્રદ્ધાળુ લોકો મંદિર ટૂટી જવાના કારણે ફરીથી મંદિરનું નિર્માણ કરવા માટે માંગણી કરી રહ્યા છે. બીજી બાજુ, આ ઘટના વિશે મેયરે લોકોની આસ્થાને જોતા મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, અગાઉ હતું તેવું શિવજીનું મંદિર ફરીથી બાંધવામાં આવશે. જ્યારે AMCનું કહેવું છે કે, આ પુરાણિક મંદિરનું પિલર અને છતને ખોટી રીતે વિસ્તરણ કરાયું હોવાની ફરિયાદ મળી હતી, જેના પર તંત્રએ કામગીરી હાથ ધરી હતી. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ છે અને મંદિર તોડનારા અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં શુક્રવારે 11થી 2 દરમિયાન ધરણા કાર્યક્રમ યોજાનાર છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં વર્ષા ફ્લેટ પાસે શિવજીનું પુરાણિક મંદિર આવેલું હતું. આ મંદિરમાં દરરોજ હજારો લોકોના ધસારો રહેતો હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

આગળનો લેખ
Show comments