Festival Posters

Sharad Purnima 2020 Date: આજે છે શરદ પૂર્ણિમા, જાણો વ્રત નિયમ, પૂજા વિધિ, શુભ મુહુર્ત અને મહત્વ

Webdunia
શુક્રવાર, 30 ઑક્ટોબર 2020 (08:28 IST)
Sharad Purnima (kojagari laxmi puja) 2020 Date, Tithi, Vrat Vidhi, Puja Timings : અધિકમાસ પછી શરદ પૂર્ણિમા આજે 30 ઓક્ટોબર 2020 ના રોજ છે. શરદ પૂર્ણિમા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમા (કોજાગીરી લક્ષ્મી પૂજા 2020) ની રાતે ચંદ્ર તેની સોળ કળાઓથી ખીલીને અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કૌમુદી એટલે કે મૂનલાઇટ અથવા કોજાગીરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર પર ખીરને ચંદ્રના પ્રકાશમાં મુકવામાં આવે છે. આવો જાણીએ  શરદ પૂર્ણિમાનું મહત્વ, ઉપાસનાની રીત અને સમય…
 
 
ચોઘડિયા
સવારે 06:00 થી સવારે 07:30 સુધી ચર
સવારે 07:30 થી સવારે 9.00 સુધી લાભ
અમૃત સવારે 9.00 થી સવારે 10:30 સુધી
સવારે 10:30 થી 12:00 સુધી કાળ
બપોર: 12:00 થી 01:30 સુધી શુભ 
બપોરે: 01:30 થી 03:00 સુધી રોગ
બપોરે: 03:00 થી 04:30  સુધી ઉદ્વેગ 
સાંજે: 04:30 થી 06:00 સુધી ચલ
 
પૂજા કરવાનુ શુભ મુહૂર્ત 
 
શરદ પૂર્ણિમાનો શુભ સમય 30 ઓક્ટોબર
 સાંજે 05:45 વાગ્યાથી 
 31 ઑક્ટોબર સવારે 08:18 મિનિટ સુધી 
 
જાણો શા માટે કરવામાં આવે છે શરદ પૂર્ણિમા વ્રત 
 
માન્યતા અનુસાર, એક જમીનદારની બે પુત્રી હતી. બંને પૂનમનુ વ્રત કરતી હતી. એકવાર જમીનદારની મોટી દીકરીએ પૂર્ણ ચંદ્ર પર ઉપવાસ કર્યો, પરંતુ નાની પુત્રીએ ઉપવાસ છોડી દીધા, જેથી નાની છોકરીના બાળકો તેના જન્મ થતાં જ મૃત્યુ પામતા હતા. એકવાર જમીનદારની મોટી પુત્રીના પુણ્ય સ્પર્શથી નાની દિકરીનુ બાળક જીવંત થઈ ગયું. એવું કહેવામાં આવે છે કે તે દિવસથી આ વ્રત વિધિપૂર્વક ઉજવવાનું શરૂ થયુ હતું.
 
ચાંદીના વાસણમાં ખીર મુકવાનું છે વિશેષ મહત્વ
 
શરદ પૂર્ણિમા ખીરને ચાંદીના વાસણમાં મુકવી વધુ ઉત્તમ રહે છે. ચાંદીનું વાસણ ન હોય તમે તેને કોઈપણ વાસણમાં મૂકી શકો છો.
 
ગાયના દૂધમાંથી બનાવો ખીર 
પૂર્ણિમાની રાત્રે ચંદ્રની રોશનીમાં ખીર મુકવી અને બીજા દિવસે તેનું સેવન કરવાનો નિયમ છે. ખીરને ઓછામાં ઓછા ચાર કલાક ચાંદનીમાં મુકવી જોઈએ. તેનાથી તેમાં ઔષધીય ગુણો આવી જાય છે. ખીરમાં જીવાત ન પડે તેથી તેને સફેદ બારીક કપડાથી ઢાંકીને મુકવી જોઈએ. . બીજે દિવસે ભગવાન લક્ષ્મીનારાયણે ભોગ લગાવ્યા બાદ પ્રસાદના રૂપે લેવી જોઈએ. .
 
શરદ પૂર્ણિમાએ જરૂર કરો  આ કામ (પૂજા વિધિ) 
 
શરદ પૂર્ણિમા પર સવારે ઉઠીને સ્નાન વગેરે કરો. ઘરના મંદિરની સફાઈ કરીને માતા લક્ષ્મી અને શ્રી હરિની પૂજા-અર્ચના તૈયાર કરો. આ માટે, બાજટ પર લાલ અથવા પીળો રંગનો કાપડ મૂકો. આના પર લક્ષ્મી અને વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. પ્રતિમાની સામે ઘીનો દીવો પ્રગટાવો, ગંગા જળ છાંટવો અને અક્ષત, રોલીનો તિલક લગાવો. સફેદ અથવા પીળી મીઠાઈનો ભોગ લગાવો કરો અને ફૂલ ચઢાવો. જો ગુલાબ હોય તો તે વધુ સારું છે. શરદ પૂનમના દિવસે  લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો.  શરદ પૂર્ણિમા પર આ સ્તોત્રનો પાઠ કરવાથી મા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. જેની સાથે તમારું ઘર પૈસાથી ભરાઈ જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments