Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti 2024: પૈસાની તંગીથી પરેશાન જો તો શનિ જયંતિ પર ભૂલથી પણ ન કરશો આ કામ

Webdunia
ગુરુવાર, 6 જૂન 2024 (13:00 IST)
Shani Jayanti 2024: સનાતન ધર્મમાં, શનિદેવને કાર્યોના દેવતા અથવા ન્યાયના દેવ કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોને તેમના કર્મ મુજબનુ પરિણામ આપે છે. જેના પર શનિદેવની કૃપા હોય છે તેને પોતાના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સમસ્યાનો સામનો કરવો પડતો નથી.  સાથે જ  જો શનિદેવની ખરાબ નજર કોઈ પર પડે છે, તો તેની સમસ્યાઓ ક્યારેય સમાપ્ત થતી નથી. તેથી શનિદેવની પૂજા કરીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે અને આ માટે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. જે જ્યેષ્ઠ મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે જ્યેષ્ઠ અમાવસ્યાનો તહેવાર 6 જૂને છે.  તેથી શનિ જયંતિ પણ 6 જૂને જ ઉજવવામાં આવશે.
 
શનિ જયંતીના દિવસે ન કરશો આ ભૂલ 
 
- જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. તેથી આ દિવસે એવું કોઈ કામ ન કરવું જેનાથી શનિદેવ નારાજ થાય. આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે ઘરમાં લોખંડની બનેલી વસ્તુ ન લાવવી. આમ કરવાથી તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
-  જો તમે ઈચ્છો છો કે શનિદેવ હંમેશા તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ રાખે તો શનિ જયંતિના દિવસે ભૂલથી પણ   કાચની બનેલી વસ્તુ ન ખરીદો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જયંતિના દિવસે ઘરમાં કાચની વસ્તુઓ લાવવામાં આવે તો શનિદેવ ક્રોધિત થાય છે.
- ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે ભૂલથી પણ તુલસી, બિલિપત્રના પાન કે પીપળાના પાન ન તોડવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી ભૂલ કરવાથી વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડી શકે છે.
- શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને કાળી અડદનું દાન કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે આ બે વસ્તુઓ ન ખરીદવી જોઈએ. તેનાથી ઘર પર ખરાબ નજરની અસર પડે છે.
- શનિ જયંતિના દિવસે નવા કપડા કે નવા ચંપલ અને જૂતા ખરીદવા કે પહેરવા જોઈએ નહીં. આવી નવી વસ્તુઓ ખરીદવી અને ઘરે લાવવી એ શુભ માનવામાં આવતી નથી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments