Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંખનાદ શા માટે કરવામાં આવે છે ?

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2017 (05:44 IST)
સમુદ્ર મંથનના સમયે મળેલ ચૌદ રત્નામાંથી એક શંખની ઉત્પતિ છઠ્ઠા નંબરે થઈ. શંખમાં પણ અદભુત ગુણ છે. જે બીજા તેર રત્નોમાં છે. એના નાદમાંથી  ઓઁમ અર્થાત ૐ શબ્દ નિકળે છે. આથી શંખ વગાડતી વખતે  ૐનો નાદ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. વૈજ્ઞાનિક પણ આ વાતને સ્વીકારતા કહે છે કે  શંખ નાદથી વાયુમંડળના ખૂબ નાના વિષાણુ નષ્ટ થઈ જાય છે, જે માનવ જીવન માટે ઘાતક હોય છે. 
 
વૈદિક માન્યતામાં શંખને વગાડવું ખાસ લાભદાયક ગણાય છે. શુભ કાર્ય કરતી  વખતે શંખનાદથી શુભતાનો ખૂબ સંચાર થાય છે. જ્યાં સુધી શંખનો  અવાજ જાય છે, સાંભળનારા ઈશ્વરનું  સ્મરણ થઈ જાય છે. 
 
સ્વાસ્થયની નજરે શંખ વગાડવું લાભદાયક છે. શંખનાદ એ નવી ઘોષણાનું પ્રતીક છે, તો સાથે શ્વાસ સંબંધિત રોગોને પણ તે સમાપ્ત કરે છે. શંખનાદથી નીકળનાર 'ઓમ'નો મહાનાદ માનસિક રોગોની નિવૃત્તિ કરીને કુંડલિની ઉર્જાને જાગ્રત કરે છે. જેના કારણે બહિકૃભંક પ્રાણાયામની પ્રક્રિયા શરૂ થાય છે. શંખનાદથી આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે. આજનો  સૌથી ઘાતક રોગ હૃદયઘાત, બ્લ્ડપ્રેશર શ્વાસ સાથે સંબંધિત રોગ મંદાગ્નિ વગેરેના પીડિત દ્વારા  શંખ વગાડવું પરમ શુભ ગણાય છે. એના વાદનથી ઘરના બહારની અસુર શક્તિયો અંદર નથી આવતી. ઘરમાં શંખ રાખવા અને વગાડવાથી વાસ્તુ દોષ ખત્મ થઈ જાય છે.  શંખનો નાદ શુભ અને સતોગુણી ક્રિયાશક્તિનો વ્યક્તિની અંદર સંચાર કરે છે. વાણી સંબંધી વિકાર પણ શંખનાદથી દૂર થાય છે, તેવું તો પ્રયોગોમાં પણ સાબિત થયું છે. શંખને પૂજાઘરમાં જ રાખવામાં આવે છે, અને પૂજા સિવાય તેને પીળા કપડાંની અંદર રાખવામા આવે છે.

જો કે શંખથી ભગવાન પર પાણી ન ચઢાવવું જોઈએ. પૂજામાં રાખતી વખતે શંખનું મોંઢુ હંમેશા આપણી તરફ રાખવું જોઈએ. કેટલીક પ્રથાઓ પ્રમાણે એવું પણ કહેવાય છે કે શંખનાદ ગર્ભવતી સ્ત્રીઓએ ન કરવો જોઈએ, કારણ કે શંખના ધ્વનિથી અવયવો પર દબાણ થતું હોવાથી ગર્ભને નુકશાન થાય છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments