Biodata Maker

Tulsi upay- તુલસીના પાન અને 5 રૂપિયાના સિક્કો, બદલી નાખશે તમારુ સૂતેલુ ભાગ્ય

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (15:27 IST)
શાસ્ત્રોમાં વર્ણન કર્યુ છે કે નકારાત્મક ઉર્જા વ્યક્તિના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. વ્યક્તિ સતત પ્રયાસો છતા પણ સફળતા અને ખુશી નથી પ્રાપ્ત કરી શકતો. જેટલી તેની ઈચ્છા હોય છે. તેથી આ જરૂરી છે કે તમારા પ્રયાસો અને પરિશ્રમ સાથે જ તમે નકારાત્મક ઉર્જાથી પૂર્ણ: દૂર રહો.
કે પછી તેનાથી બચવાનો પ્રયાસ કરો.
 
જો કે નકારાત્મક ઉર્જાથી સંપૂર્ણ રીતે બચવુ મુશ્કેલ
હોય છે પણ શક્ય છે કે મોટે ભાગે આનાથી બચી શકાય. નકારાત્મક ઉર્જા એક રીતે એ જ વિનાશ છે જે ખરાબ પરિસ્થિતિયો કે દુર્ભાગ્ય સાથે મનુષ્યને જોડે છે. શાસ્ત્રોમાં આ નકારાત્મક ઉર્જાઓથી બચવા માટે કેટલાક ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. જ્યારે તમે અચાનક એ અનુભવ કરો કે સફળતાના રસ્તામાં વારેઘડી અવરોધ આવી રહ્યો છે સાથે જ કોઈ ને કોઈ સમસ્યા તમારા કામમાં બાધક બની રહી છે તો તમે શાસ્ત્રોમાં બતાવેલ ઉપાયોને અપનાવીને બધા પ્રકારની નકારાત્મકતા પર વિજય પ્રાપ્ત કરી શકો છો.. આ ઉપાયોમાંથી એક છે તુલસીના પાન અને પાંચ રૂપિયાના સિક્કાની સાથે કરવામાં આવેલ આ પ્રયોગ..
 
તમારે આ કરવાનુ છે
5 રૂપિયાના સિક્કાને પાણી અને સાબુની મદદથી સારી રીતે ધોઈને સાફ કરો. ત્યારબાદ તુલસીના 11 પાન અને લીલા રંગનુ સ્વચ્છ કપડુ લો. હવે 5 રૂપિયાના સિક્કાની બંને બાજુ 5-5 તુલસીના પાન મુકીને તેને એક દોરાથી બાંધી લો. તેને કોઈ પોટલીની જેમ દેખાય તેવી ગાંઠ બાંધી લો..
આ પોટલી તમે પાણીની ટાંકીમાં નાખી દો. જ્યાથી ન્હાવાનુ પાણી આવે છે. આ પાણીથી રોજ સ્નાન કરવાથી પરિવારના બધા સભ્યો નકારાત્મક ઉર્જાથી દૂર રહે છે. સાથે જ ઘીરે ઘીરે ઘરના બધા સભ્યોને સફળતા મળે છે અને પરિવારમાં સુખ અને શાંતિનુ આગમન થાય છે.
 
જો તમે આ પ્રક્રિયાને નથી કરી શકતા તો આ ઉપાયને તમે કોઈ ડોલમાં પાણી ભરીને પણ કરી શકો છો. આ માટે તમે રાત્રે પાણીથી ભરેલી ડોલમાં આ પોટલી નાખો. સવારે તેમાથી થોડુ થોડુ પાણી દરેક સભ્યના ન્હાવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

વધુ જુઓ..

નવીનતમ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

આગળનો લેખ
Show comments