Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવપુરાણમાં જણાવ્યા છે મૃત્યુ પહેલાના આ 5 સંકેત

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (05:22 IST)
જીવ જંતુ હોય કે મનુષ્ય બધાનુ મૃત્યુ એક અટલ સત્ય છે. જેણે જન્મ લીધો છે એક દિવસ તેનુ મૃત્યુ ચોક્કસ થવાનુ છે. 
 
આ સત્ય સૌ જાણે છે છતા સૌને મોતનો ભય સતાવતો રહે છે. મોટાભાગના લોકો આ ભય સાથે જીવે છે કે તેઓ પોતાનુ મોત આવતા પહેલા બધા ફર્જને પૂરા કરી દે અને જીવનના બધા બચેલા કામ નિપટાવી લે. 
 
લોકોમાં રહેલો ભય તેમને આ જાણવાને મજબૂર કરી દે છે કે કાશ તેમને કોઈ પહેલાથી જ તેમના મોત વિશે બતાવી દે. 
 
ઉલ્લેખનીય છે શિવપુરાણમાં થોડા એવા સંકેત બતાવ્યા છે જેના દ્વારા આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે વ્યક્તિની મૃત્યુ કેટલો સમય પછી થઈ શકે છે. આવો જાણીએ આ સંકેત 
 
1. શિવપુરાણમાં કહ્યુ છે કે જે મનુષ્યના માથા પર ગીધ, કાગડો અથવા કબૂતર આવીને બેસવા માંડે તો સમજી લેવુ જોઈએ કે તેનુ મૃત્યુ નજીક આવી રહ્યુ છે. 
 
2. મોતનો બીજો સંકેત - શિવ પુરાણમાં મહાદેવ કહે છે કે જ્યારે મનુષ્યનુ શરીર પીળુ પડવામાંડે અને ઉપરથી ધીરે ધીરે સફેદ દેખાવવા માંડે તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિનુ મૃત્યુ 6 મહિનામાં થવાનુ છે. 
 
3 મોતનો ત્રીજો સંકેત - જે વ્યક્તિની દ્રષ્ટિ રાતના સમયે તારા અને ચંદ્રમાં ન જોઈ શકે તો તેની મૃત્યુ એક મહિનાની અંદર થઈ શકે  છે. 
 
4. મોતનો ચોથો સંકેત - જો કોઈ વ્યક્તિને વારે ઘડીએ તરસ સતાવવા માડે અને પાણી પીવા છતા કંઠમાં સૂકાપણુ આવવા માંડે તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિનુ જીવન ફક્ત 6 મહિનાનુ બાકી રહી ગયુ છે. 
 
5  મોતનો પાંચમો સંકેત -  જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો પાણીમાં કે તેલમાં ન દેખાય તો સમજી લેવુ જોઈએ કે તેના જીવનના થોડાક જ દિવસો શેષ છે.  (એવુ કહેવાય છે કે શનિવારના દિવસે તેલમાં પોતાનો પડછાયો જોઈને તેલનુ દાન કરવુ જોઈએ.) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments