Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેદો છે એક ધીમું ઝેર, જેનાથી થઈ શકે છે આ 7 રોગ

side effects eating maida

Webdunia
મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (15:59 IST)
જે લોકો વજન ઓછું કરવાના પ્રયાસ કરે છે, એ મેંદાથી બનેલી વસ્તુઓ ખાતા નથી. મેદો દરેક કોઈના કિચનમાં જોવા મળી જાય છે જેનાથી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે. પણ શું તમે વિચાર્યું છે કે મેદો તમારા સ્વાસ્થય માટે સારો છે કે નહી ? 
 
મેદો કે રિફાઈંડ ફ્લોરને જો તમે  દરરોજ તમારા આહારમાં શામેલ કરશો તો આ તમને તરત નુક્શાન નહી કરે. મેદાના સાઈડ ઈફ્ક્ટ હોય છે જે લાંબા સમય સુધી પ્રયોગ કર્યા પછી જ ખબર પડે છે. 










 

મેદો એક સાફ કરેલો ઘઉંનો લોટ છે, જેમાં ફાઈબર સમાપ્ત થઈ જાય છે પછી એને  benzoyl peroxide બ્લીચ કરાય છે જેને સાફ અને સફેદ રંગ અને ટેક્સચર અપાય છે. 
 
શું તમે જાણો છો કે ચાઈના અને યૂરોપીયન દેશમાં   benzoyl peroxideને બેંડ કરી દીધું છે કારણકે એનાથી સ્કિન કેંસર થઈ શકે છે. 
 
આવો જાણીએ મેદાના સ્વાસ્થય પર પડતા ખરાબ પ્રભાવ વિશે.... આગળ 

જાણપણું વધારે 
વધારે મેદો  ખાવાથી શરીરનું વજન વધવું શરૂ થઈ જાય છે અને તમે જાડા થવા માંડો છો. આટલુ  જ નહી એનાથી કોલેસ્ટ્રોલનું લેવલ અને લોહીમાં ટ્રાઈગ્લીસરાઈડ પણ વધે છે. જો તમને વજન ઓછું કરવું છે તો તમારા ભોજનમાંથી મેંદાને હમેશા માટે હટાવી દો. 

પેટ માટે ખરાબ 
મેદો પેટ માટે ખરાબ હોય છે કારણકે એમાં બિલકુલ  પણ ફાઈબર નથી હોતુ. જેનાથી કબજિયાત થવાની ફરિયાદ રહે છે. 

ફૂડ એલર્જી થાય છે 
મેદામાં ગ્લૂટન હોય છે જે ફૂડ એલર્જીની સમસ્યા ઉભી કરે છે. મેદામાં ભારે માત્રામાં ગ્લૂટન હોય છે જે ભોજનને લચીલો બનાવીને એને નરમ ટેસ્ટ આપે છે. જ્યા બીજી બાજુ  ઘઉંના લોટમાં ખૂબ ફાઈબર અને પ્રોટીન હોય છે. 

હાડકાઓ નબળા થઈ જાય છે 
મેદો બનાવતી સમયે તેમાંથી પ્રોટીન નીકળી જાય છે અને આ એસિડિક બની જાય છે જે હાડકાઓમાંથી કેલ્શિયમને ખેંચી લે છે જેનાથી હાડકા નબળા થઈ જાય છે.

રોગ થવાની શકયતા વધી જાય છે 
મેદાના નિયમિત સેવનથી ઈમ્યૂન સિસ્ટમ નબળું થઈ જાય છે અને રોગ થવાની શકયતા વધવા માંડે છે. 

ડાયાબિટીસનું સંકટ  
એને ખાવાથી શુગર લેવલ તરત જ વધી જાય છે.  કારણકે એમાં ખૂબ વધારે હાઈ ગ્લાઈસેમિક ઈડેક્સ હોય છે. તો જો તમે બહુ વધારે મેદાનું સેવન કરો છો તો એ ચિંતાની વાત છે. 

ગઠિયા અને હાર્ટનો રોગ 
જ્યારે બ્લ્ડ શુગર વધે છે તો લોહીમાં ગ્લૂકોઝ જામવા માંડે છે. પછી એમાંથી શરીરમાં કેમિકલ રિએકશન થાય છે. જેથી સાંધા અને હાર્ટના રોગ થવા માંડે છે.
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments