Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધી અને ગાંધીગીરી

Webdunia
N.D
ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને જેમણે આઝાદીની લડાઈ લડવાની એક કઠણ શૈલી શોધી હતી, જેની મૌલિકતાની આખી દુનિયામાં કોઈ મિસાલ નથી.

ગાંધીજીના પથ પર ચાલવાથી જીવનમાં મૂલ્યો સ્થાપિત થાય છે, પરંતુ તેમના પથ પર ચાલવુ સરળ નથી. આપણે બધાએ 'લગે રહો મુન્નાભાઈ' જોવી ગમી. તેમા સંજય દત્તે અપનાવેલો રસ્તો પણ ગમ્યો, પરંતુ શુ આજે આપણામાંથી કોઈનામાં એ માર્ગ અપનાવવાની હિમંત છે. આજે તો મુખ્ય વાત એ કે કોઈપણ વ્યક્તિને પ્રેમથી બોલતા નથી આવડતુ. કાંઈ પણ કહેવુ હોય તો ગુસ્સાથી જ કહેશે. એકવાર, બે વાર પછી જો સામેવાળી વ્યક્તિએ વાત ન સાંભળી તો હિંસા પર ઉતારુ થઈ જશે. આવા મગજના લોકો શુ કદી ગાંધીના પથ પર ચાલી શકે ખરા ? ગાંધીજી જો આવા મગજના હોત તો અંગ્રેજો સહી સલામત પાછા ફરી શકત નહી.

સાચુ કહો તો ગાંધીજી ભારતીયતાના પ્રતિક હતા, કારણ કે તેમણે સામાન્ય માણસની આત્મનિર્ભરતા, સરળતા, નૈતિકતા, કર્તવ્યનિષ્ઠા, સાદગી અને સહજતાને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ તેને કોઈના પર આદર્શ બનાવીને થોપવાનો કદી પ્રયત્ન નહોતો કર્યો. આ વાતને ગાંધીજીએ એક વ્યક્તિથી ઉપર ઉઠીને એક વિચાર બનાવી દીધો. તેથી જ તો ભલે તેઓ આજે આપણી વચ્ચે હાજર નથી, પરંતુ તેમના વિચાર આજે પણ કાયમ છે.

આપણે જ્યારે પણ એતિહાસિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિના વિશે વાત કરીએ છીએ તો એ વ્યક્તિના જીવનકાળની પરિસ્થિતિઓનુ ભાન હોવુ ખૂબ જ જરૂરી છે. આજે આઝાદીના છ દસકા બાદ પણ શહેરોમાં ચમક દમક વધી ગઈ છે પરંતુ અપરાધોમાં થનારો વધારો, સમાજમાં ફેલાતો અસંતોષ, સતત થઈ રહેલી આતંકવાદની ઘટનાઓ, તૂટી રહેલા સામાજિક મૂલ્યો અને સતત નૈતિક પતનની આ પ્રક્રિયામાં ફરીથી આપણે ગાંધીજી તરફ જ જોવુ પડશે. તેમના વિચારોને અપનાવવા પડશે, કારણ કે આજનો ભૌતિકવાદી યુગ, ગાધીગીરી યુગ જ છે, પરંતુ જરૂર છે ફક્ત ગાંધીજીએ બતાવેલ માર્ગ પર ચાલવાની.

IFM
લગે રહો મુન્નાભાઈમાં પણ ગાંધીજીના આદર્શને સામાન્ય માણસની જીંદગીમાં ઉતારવામાં આવ્યા છે તેને આદર્શ બનાવીને થોપવામાં નથી આવ્યા. જો તમે પણ તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારીશુ તો તમારી સમસ્યાઓનુ સમાધાન સરળતાથી મળી શકશે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments