Webdunia - Bharat's app for daily news and videos

Install App

સતત વધતી ગણપતિની મૂર્તિ

Webdunia
W.D
અનુપપુર જીલ્લાના ગાઢા જંગલોની વચ્ચે આવેલ નાનું એવું સુંદર નગર આવેલ છે- અમરકંટક. અહીંયા નર્મદા મંદિરથી ઉત્તર દિશા તરફ લગભગ 35 કિમી દૂર આવેલ રાજેન્દ્રગામની અંદર ગણેશ મંદિરમાં સ્થાપિત કરેલ પ્રતિમા સતત વધી રહી છે. આ મૂર્તિનો આકાર કેવી રીતે અને કેમ વધી રહ્યો છે તેનું રહસ્ય અકબંધ છે.

પોતાની અંદર કેટલાયે પ્રકારની વિશેષતાઓ અને ધાર્મિક જનશ્રુતિઓ સમાયેલ છે. આમાંનુ એક છે બહગડનાલા સ્થિત શ્રી ગણેશ મંદિર. અનુપપુરથી દક્ષિણ દિશામાં 35 કિમી દૂર આવેલ અને અમરકંટકના નર્મદા મંદિરથી ઉત્તર દિશાની તરફ લગભગ 35 કિમીની દૂરી પર રાજેન્દ્રગામ (પુષ્પરાજગઢ) ની નજીક ગણેશજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે.

આ દિવ્ય એટલા માટે છે કેમકે આ મૂર્તિ પૃથ્વી પર તેની જાતે જ પ્રગટ થઈ હતી. એટલુ જ નહિ પણ ગણપતિની મૂર્તિનો આકાર ત્યારથી સતત વધી રહ્યો છે. આ આકાર કેવી રીતે વધી રહ્યો છે તે વિશે કોઈ પણ સચોટ માહિતી નથી આપી શક્યું. ગણેશજીની મૂર્તિની ઉંચાઈ લગભગ 10 ફુટ છે. ગણેશજીના મંદિરની પાસે જ કલ્ચુરીકાલીન ખંડિત અવસ્થામાં શિવ મંદિર છે. આની નજીક જ ગૌરી કુંડ અને ગૌરી ગુફા છે.

ગૌરી ગુફાનો દ્વાર શિવદાબામાં જઈને ખુલે છે. એવું કહેવાય છે પાર્વતી માતા ભગવાન શિવશંકરની તપસ્યા માટે અહીંયા આવ્યાં હતાં અને ગણેશજીનો અવતાર પણ આ જગ્યાએ જ થયો હતો.

લીલોતરીથી ભરેલા પર્વતો અને વનની વચ્ચે આ ધાર્મિક સ્થળ નૈસર્ગિક પ્રાકૃતિક સુંદરતાને સમાવેલ છે. આ મંદિરની દેખભાળ ફક્કડ બાબા અને અન્ય સાધુ સંતો કરે છે. દરેક વસંત પંચમીના દિવસે અહીંયા વિશાળ મેળો ભરાય છે. જ્યાં દૂર દૂરથી ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments