Biodata Maker

અંબાજી મહાકુંભ મેળો : 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

Webdunia
બુધવાર, 29 ઑગસ્ટ 2012 (11:46 IST)
P.R
પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં દુરદુરથી લાખો માઇભકતો પદયાત્રા દ્વારા અંબાજી પહોંચીને માના ચરણોમાં મસ્‍તક ઝુકાવી ધન્‍યતા અનુભવે છે. આ વરસે અધિક માસ હોવાથી ઘણા માઇભકતો મૂંઝવણ અનુભવે છે કે, ભાદરવી મહામેળો કયારે યોજાશે. અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટના વહીવટદાર કમ ડેપ્‍યુટી કલેકટર એમ. એચ. જોશીએ જણાવ્‍યું છે કે, અંબાજી ભાદરવી પુનમનો મહામેળો એક મહિના પછી એટલે કે તા. ૨૪ થી ૩૦ સપ્‍ટેમ્‍બર ભાદરવા સુદ-૯ થી ભાદરવા સુદ-૧૫(પૂનમ) દરમિયાન સાત દિવસ સુધી યોજાશે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અધિક ભાદરવા સુદ પુનમ નિમિત્તે પદયાત્રી સંઘો અને યાત્રીકોનો ઘસારો જોતાં અંબાજી માતાજી મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડ ખાતર અધિક ભાદરવા સુદ-૧૨ (બારસ) મંગળવાર તા.૨૮/૮/ થી અધિક ભાદરવા સુદ-૧૪(ચૌદસ) તા.૩૦/૮/૧૨ના રોજ આરતી તથા દર્શનનો સમય આ પ્રમાણે છે. સવારે આરતી- ૭.૩૦ થી ૮ વાગ્યા સુધી, સવારે દર્શન-૮ થી ૧૧.૩૦, રાજભોગ બપોરે-૧૨ કલાકે, બપોરે દર્શન- ૧૨.૩૦ થી ૧૬.૩૦, સાંજે આરતી-૧૯ થી ૧૯.૩૦, સાંજે દર્શન-૧૯.૩૦ થી ૨૩ વાગ્યા સુધી રહેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments