Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના અનોખા લગ્ન, ભેટમાં આવેલ 1500થી વધુ પુસ્તકોથી બનાવાશે પુસ્તકાલય

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (14:34 IST)
આપણામાં એક કહેવત છે કે દિકરીનું લગ્ન એવા ઘરમાં કરવું જ્યાં પુસ્તકો હોય. આવું તો આપણે સાંભળીયું છે પરંતુ સુરતમાં એક એવા અનોખા લગ્ન થયા છે જેમાં કંકોત્રીમાં જ લખવામાં આવ્યું હતું કે લગ્નમાં કોઈએ ચાંદલો ન કરવો બધાએ ભેટ સ્વરૂપે પુસ્તકો આપવા. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં 16મી ફેબ્રુઆરીની સાંજે લગ્ન યોજાયા હતાં. તેમની કંકોત્રીમાં લખ્યું હતું , ‘ચાંદલાને બદલે પુસ્તકો સ્વીકારવામાં આવશે..!’ તે પ્રમાણે સગા સંબંધીઓ પ્રેમથી પુસ્તકો લઈને આવ્યાં હતાં. ભેટમાં 1500 જેટલી પુસ્તકો આવી છે જેની હવે પુસ્તકાલય બનાવવામાં આવશે અને લોકોને વાંચવા માટે વિનામુલ્યે અપવામાં આવશે. ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી વી.વી. વઘાસિયા લગ્નમાં હાજર રહ્યાં હતાં. અને વરકન્યાને પુસ્તકો આપીને જણાવ્યું હતું કે, લગ્નમાં આ એક પ્રયોગ ખૂબ આવકારદાયક છે. નરેન્દ્ર મોદીએ પણ ભાજપના દરેક કાર્યક્રમમાં પુસ્તક આપવાની નવી પ્રથા શરૂ કરાવી હતી. પુસ્તકો જ સાચા મિત્ર હોવાની અને વાંચન વધે તે માટે આ પ્રકારની જાગૃતિ ખૂબ આવશ્યક છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments