Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના આ વિસ્તારમાં એક જુનુ મકાન ધરાશાહી થયું, કાટમાળમાંથી એક મૃતદેહ મળ્યો

Webdunia
શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (12:31 IST)
અમદાવાદના કૂબેરનગરમાં જુનુ મકાન ધરાશાહી થતાં કરૂણાંતિકા સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે, જ્યારે બે વ્યક્તિનો બચાવ થયો છે.કૂબેરનગરમાં મોડી રાત્રે એક જૂનવાણી મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા બેથી ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. રાતના અંધારામાં શરૂ કરવામાં આવેલા કાટમાળ હટાવાના કામમાં વિક્ષેપની વચ્ચે વહેલી સવારે ચિત્ર સ્પષ્ટ થયું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર આ મકાન કૉમ્પલેક્ષ સમાન હતું. જેમાં નીચે દુકાનો હોવાની વિગતો સામે આવી છે. કોર્પોરેશનના મતે આ જર્જરિત હતું. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં રાત્રે 12.00 વાગ્યા બાદ આ ઘટના ઘટી હતી.આ મકાન કૂબેરનગરના ફાટક પાસેના વિસ્તારોમાં આવેલું હતું. મકાનના કાટમાળ પરથી તે મોટી જગ્યામાં હોવાનું અનુમાન છે. આ કાટમાળમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્વજનોનો આંક્રદ શરૂ થઈ ગયો હતો.વહેલી સવારે પણ મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ હતી. બૂલડોઝર અને કટરની મદદથી મકાનના કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. મોડી રાતથી જ આ સ્થળે લોકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા. વિસ્તારના પગલે આસપાસની અન્ય જૂની ઇમારતોમાં રહેતા લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments