Webdunia - Bharat's app for daily news and videos

Install App

JEE મેઇન્સના ટોપ 200માં ગુજરાતના 15 વિદ્યાર્થીઓ ઝળક્યાં

Webdunia
મંગળવાર, 1 મે 2018 (12:10 IST)
દેશની વિવિધ એન્જિનિયરિંગ સંસ્થાઓના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE(જોઇન્ટ એન્ટ્રસ એક્ઝામ)નું પરિણામ સોમવારે જાહેર થયું હતું. જેમાં દેશના ટોપ 200માં ગુજરાતના 15 જેટલા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જ્યારે 2 વિદ્યાર્થીઓ ટોપ-50માં સ્થાન મેળવવામાં સફળ થયા હતા.રાજ્યમાં પ્રથમ આવેલ શ્રેયાંશ નાગોરી દેશમાં 24માં ક્રમે છે જ્યારે રાજ્યમાં 2 નંબરે આવેલ દેવર્ષી પટેલે દેશમાં 38મો ક્રમ મેળવ્યો છે. 

આ વર્ષે આ 15 વિદ્યાર્થીઓમાં 5 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના છે જ્યારે બાકીના 10 વિદ્યાર્થીઓ CBSC સહિત અન્ય બોર્ડના છે.  આશ્ચર્યજનક વાત છે કે રાજ્ય સરકારે JEEમાંથી હટી જવાનો નિર્ણય કરતા જણાવ્યું છે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું આ પરીક્ષામાં સારુ પરફોર્મન્સ ન હોવાના કારણે તેઓ વિથડ્રો કરી રહ્યા છે.આ વર્ષે 8 એપ્રિલના રોજ યોજાયેલ JEE મેઇન્સની એક્ઝામમાં 12000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પહેલા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે JEE ફરજિયાત હતી પરંતુ 2016માં રાજ્ય સરકારે તેમાંથી વિતડ્રો કરીને રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ(GujCET) બહાર પાડી હતી જેના કારણે JEEમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે.તો બીજીબાજુ JEEમાં પણ મેરિટ લિસ્ટ નીચે જઈ રહ્યાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે 2017માં 7000 જેટલા વિદ્યાર્થીઓએ 225 કે તેનાથી વધુ માર્ક મેળવ્યા હતા જ્યારે આ વખતે માત્ર 3000 વિદ્યાર્થીઓ 225ને ક્રોસ કરી શક્યા છે. તો બીજીબાજુ એક્ઝામાં 303 માર્ક મેળવાના વિદ્યાર્થી ખુશી કાપડિયા કહે છે કે મને વધુ માર્કની આશા હતી પણ પેપર ખૂબ જ અઘરું હતું. પહેલાની સરખામણીએ હવે પેપર વધુ અઘરા નીકળે છે. તમારે ખૂબ જ વધારે લોજિક વાપરવું પડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments