Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસમાંથી રાજીનામું બાદ ભાજપમાં જોડાશે જયરાજ સિંહ: સૂત્રો

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (19:43 IST)
હજુ રાજ્યમાં ચૂંટણીને ઘણીવાર છે પરંતુ પક્ષોએ હાલથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીનો માહોલ શરૂ થઇ ગયો છે. ચૂંટણી પહેલાં નેતાઓ દ્વારા પક્ષ બદલવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાવવા જઇ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઇ શકે છે. 
 
ચૂંટણી પહેલાં મહેસાણામાં આજે 200 થી પણ વધારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યો હતો. મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર, બેચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા સહિત 205 થી વધારે લોકોએ આજે ભાજપમાં જોડાયા હતા. જે લઇને કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારે ટ્વીટ કર્યું હતું. તેમના એક ટ્વીટથી રાજકારણ ગરમાઇ ગયું છે. બીજી તરફ જયરાજ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે. 

તેમણે ગુસ્સો ઠાલવતાં જણાવ્યું હતું કે બહુચરાજીમાં થઈ રહ્યું છે તેની મહિનાથી જાણ કરી હતી પણ કોંગ્રેસમાં તો કેવું ચાલે છે ? ગમે તેટલી તાકાતથી લડીએ, બધા એના એ જ નેતા. હારેલા નેતાઓ જ બધા નિર્ણય કરે છે. તાકાતવાળાની ઉપેક્ષા થાય છે. મારાથી આગળ જતો રહેશે એવા માનસિક ભયથી અમે કંટાળ્યા છીએ. હવે પાર્ટી છોડીશું.
 
જયરાજસિંહ પરમારે ભાજપ પ્રમુખ પાટીલ સાથે પણ મુલાકાત કરી હોવાની ચર્ચા છે અને ટુંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત બહાર આવી છે. એવી પણ માહિતી મળી છે કે તેઓ આવતી કાલે કાર્યકરો જોગ પત્ર લખશે અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. 
 
જયરાજ સિંહ પરમાર આવતી કાલે કાર્યકરોને સંબોધતો પત્ર લખશે. કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments