Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં બેરોજગાર યુવાનો સાથે નોકરીના નામે ક્રુર મજાક

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2017 (16:53 IST)
સોશ્યલ મીડિયા પર વહેતા થતા ખોટા સંદેશાઓ ક્યારેક પરેશાનીનુ કારણ બની જાય છે.આજે આવા જ એક કિસ્સામાં અટકચાળા તત્વોએ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી માટેના ઈન્ટરવ્યૂના બોગસ મેસેજ ફરતા કરીને સેંકડો બેરોજગાર યુવાનોની ક્રૂર મજાક ઉડાવી હતી. તરસાલી આઈટીઆઈમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરીના ઈન્ટરવ્યૂ તા.૨૯ ઓક્ટોબરે યોજાવાના છે

તેવા મેસેજ છેલ્લા કેટલાક દિવસથી વહેતા થયા હતા.ગત સપ્તાહે આ બાબત આઈટીઆઈ સત્તાધીશોના ધ્યાનમાં પણ આવી હતી. તેમણે આઈટીઆઈમાં આવા કોઈ ઈન્ટરવ્યૂનુ આયોજન કરવામાં આવ્યુ નથી તેવી નોટિસો પણ લગાડી હતી.સ્ટાફને પણ એલર્ટ કર્યો હતો અને સોશ્યલ મીડિયામાં શક્ય હોય તેટલી સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું હતુ.આમ છતા આજે યુવાનોના ટોળે ટોળા સવારથી આઈટીઆઈ ખાતે જમા થઈ ગયા હતા.આઈટીઆઈના પ્લેસમેન્ટ ઈન્ચાર્જ ડી પી ગુર્જરનુ કહેવુ હતુ કે બપોર સુધીમાં ૮૦૦ જેટલા યુવાનો ઈન્ટરવ્યૂના મેસેજના કારણે આઈટીઆઈ ખાતે ધક્કો ખાઈને ગયા હતા.ખરેખર તો સંસ્થા દ્વારા આવા કોઈ ઈન્ટરવ્યૂનુ આયોજન થાય છે ત્યારે ચોક્કસ ફોર્મેટમાં તેની જાહેરાત આપવામાં આવે છે.કોઈએ વિકૃત આનંદ મેળવવા માટે કે આઈટીઆઈને બદનામ કરવા માટે આવા મેસેજ વહેતા કર્યા હોવાનુ લાગે છે.ભવિષ્યમાં પણ જો આવા મેસેજ ફરતા થાય તો ઉમેદવારોએ પહેલા આઈટીઆઈનો સંપર્ક કરીને ખાત્રી કરવી હિતાવહ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments