Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે કોરોના સામે જીતી જશે ઈંડિયા - દેશમાં 150 દિવસમાં 10 લાખથી વધુ દર્દી સાજા થયા, ફક્ત આ 3 રાજ્યોમાં 53% રિકવરી

Webdunia
ગુરુવાર, 30 જુલાઈ 2020 (11:32 IST)
આખી દુનિયામાં કોરોનાનો કહેર છે, પરંતુ આ દરમિયાન ભારત માટે રાહતના સમાચાર છે. બુધવારે, ભારતમાં કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1 મિલિયનને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના વાયરસની તીવ્ર ગતિએ ફેલાય રહ્યો છે. આવા સંજોગોમાં, સ્વસ્થ થતા દર્દીઓની આ સંખ્યા ખૂબ મોટી આશા જગાવી રહી છે. 
 
બુધવારની રાત સુધી, સમગ્ર ભારતમાં સંક્રમિતોની સંખ્યા 1,582,730 (64.4%) માંથી 1,019,297 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થઈ ચુક્યા હતા, જ્યારે કે 33,236 લોકોના મોત થઈ ચુક્યા છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસના 528,459 પોઝિટીવ કેસ કુલ કેસના 33.4% છે. 
 
રિકવર થઈ ચુકેલા કોરોના સંક્રમિતો અને એક્ટિવ કેસોની સંખ્યા વચ્ચેનુ અંતર એ મુખ્ય આંકડો છે જે કોવિડ -19 સામે દેશના લાંબા સમયથી ચાલી રહેલા જંગમાં આશાની કિરણ બતાવે છે. જો કે, આ તફાવત હંમેશાં નહોતો.
 
જો તમે દેશના કોરોના આંકડાઓ પર નજર નાખશો, તો 2 માર્ચ પછી, રિકવર થનારા દર્દીઓની સંખ્યા 10 લાખને પાર કરવામાં 150 દિવસનો સમય લાગ્યો. અહીં નોંધનીય છે કે 25 લાખ રિકવર કરવામાં 114 દિવસનો સમય લાગ્યો હતો. 12 જુલાઇએ ભારતે 750,000 ની રિકવરી કરી લીધી હતી. 
 
દેશભરના કોરોના દર્દીઓમાં 64.4 ટકા લોકોએ કોવિડ દર્દીને હરાવીને સ્વસ્થ થયા છે, જે વૈશ્વિક સરેરાશ 61.9  કરતા વધારે છે. દિલ્હીમાં રિકવરી રેટ ખૂબ સારો છે. દિલ્હીમાં સૌથી વધુ 133,310 લોકો રિકવર થઈ ચુક્યા છે. જ્યારે 89% સાથે રિકવર કરવામાં આવેલ લોકો કરતા વધુ છે. તે જ સમયે, લદાખમાં 80  ટકા લોકો, હરિયાણામાં 78 ટકા, આસામમાં 76 ટકા, તેલંગાણામાં 75 ટકા કોરોના દર્દીઓ સાજા થયા છે. આ પાંચ રાજ્યો એવા રાજ્યો છે રિકવરી પ્રાપ્તિની દ્રષ્ટિએ સૌથી વધુ પ્રમાણ ધરાવે છે.
 
સાથે જ મહારાષ્ટ્રમાં 400,651 કેસમાંથી 239,755 કેસ રિકવર થયા છે. તમિલનાડુના 234,114 કેસોમાંથી, 172,883 કેસ રિકવર થયા છે..  આ રીતે તમિલનાડુ સૌથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરનારુ બીજુ રાજ્ય છે. 
 
આ રીતે,જોવા જઈએ તો દેશમાં કોરોના વાયરસથી 53% રિકવરી ફક્ત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીમાં થઈ છે. જો કે, આ વાતને નકારી શકાય નહીં કે કોરોના વાયરસના કારણે આ ત્રણ રાજ્યોમાં સૌથી વધુ વિનાશ પણ સર્જ્યો છે. દેશના કોરોનાના કુલ કેસમા 48.5% આ ત્રણ રાજ્યના છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments