Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ ખરેખર બિહારના ઉંદર પી ગયા દારૂ.... !!

Webdunia
શુક્રવાર, 5 મે 2017 (12:50 IST)
ઘટના વિચિત્ર જરૂર છે પણ સત્ય છે. બિહારમાં જ્યા છેલ્લા 1 વર્ષમાં સંપૂર્ણ રીતે દારૂબંધી લાગી છે ત્યા હવે સામાન્ય માણસ જ નહી પણ ઉંદર પણ દારૂડિયા થઈ ગયા છે. પટનામાં પોલીસ કર્મચારીઓએ એસએસપી મનુ મહારાજને કંઈક આવી જ સ્ટોરી સંભળાવી. જેને સાંભળ્યા પછી તેઓ દંગ રહી જવા ઉપરાંત નારાજ પણ થઈ ગયા. આ સ્ટોરી હતી બિહારના દારૂડિયા ઉંદરોની.. જી હા તમે સાચુ વાંચી રહ્યા છો. કંઈક આ જ પ્રકારની સ્ટોરી પોલીસ કર્મચારીઓએ એસએસપીને સંભળાવી છે. 
 
શુ હતો મામલો 
 
એસએસપી મનુ મહારાજે પટના નગર નિગમ ચૂંટણીને જોતા ત્યાના બધા ફોજદારોની બેઠક બોલાવી હતી અને કાયદો વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી. જ્યારે બેઠક ચાલી રહી હતી તો મનુ મહારાજે ફોજદારોને પૂછ્યુ કે દારૂબંધી લાગૂ થયા પછી જેટલી પણ દારૂ જપ્ત થાય છે અને જેને પોલીસ મથકના માલખાનામાં મુકવામાં આવી છે.  તે ઓછી કેમ થઈ ગઈ.  મનુ મહારાજ દ્વારા આટલુ પૂછતા જ ફોજદારોએ બધો દોષ ઉંદરો પર થોપી દીધો.  કેટલાક થાણેદારોએ મનુ મહારાજને જણાવ્યુ કે કરોડોની દારૂ માલખાનામાંથી એ માટે ગાયબ થઈ કારણ કે એ દારૂ ઉંદરો પી ગયા છે. 
 
આ સાંભળતા જ એસએસપી મનુ મહારાજને ગુસ્સો આવી ગયો તેમણે બધા થાણેદારોને આદેશ અપ્યો કે તે જલ્દીથી જલ્દી પોતાના માલખાનામાં મુકેલી દારૂને ઉંદરોથી બચાવવાની વ્યવસ્થા કરે. એસએસપીને આવી આશંકા હતા કે માલખાનામાં મુકેલી દારૂની બોટલો એ માટે ગાયબ થઈ રહી છે કારણ કે કેટલાક પોલીસ કર્મચારીઓ તેને ચૂપચાપ બજારમાં વેચી રહ્યા છે કે પછી પોતે જ પી રહ્યા છે.  આ વાતને ધ્યાનમાં રાખતા એસએસપીએ આ આદેશ આપ્યો કે હવે બધા ફોજદારોનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવશે. 
 
 
એસએસપીના આદેશ પછી કંકડબાગ પોલીસ પ્રભારી રવિ ભૂષણે જણાવ્યુ કે તેમણે પોતાના પોલીસ સ્ટેશનના માલખાનામાં દારૂની બોટલોને ઉંદરોથી બચાવવા માટે ઉંદર મારવાની દવાનો ઉપયોગ શરૂ કર્યો છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments