Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આ ડોક્ટરો તમારી સેવામાં હાજર રહેશે

Webdunia
શનિવાર, 26 ઑક્ટોબર 2019 (12:42 IST)
સામાન્ય રીતે દિવાળીના વેકેશનમાં તબીબો વેકેશન માણવા જતા હોય છે. પરંતુ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલિ ફિઝિશિયન એસોસિએશન દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફરજ પર હાજર રહેવાનો નિર્ણય કર્યો છે. જે માટે 108 ઈમરજન્સી સેવા સાથે પણ સંકલન કરી શહેરીજનોને સારવારમાં તકલીફ ન પડે તે હેતુથી આ નિર્ણય કરાયો છે. એટલું જ નહીં સોશિયલ મિડિયાના માધ્યમથી પણ શહેરીજનોને સારવાર માટે મદદ થઈ શકે તેવું પણ આયોજન કરાયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમા રોગચાળો બેકાબૂ બન્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગચાળો તેમજ ઝાડા ઉલ્ટી, ક્મળો, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઓક્ટોબર માસના માત્ર 19 દિવસમાં રોગચાળાનો આંક 1667 પર પહોંચ્યો છે, ત્યારે દિવાળીના વેકેશન માટે અમદાવાદના તબીબો દ્વારા ખાસ સેવાનું આયોજન કરાયું છે. દિવાળીના તહેવારમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો તેમજ અમદાવાદ ફેમિલી ફિઝિશિયનના તબીબો વેકેશન માણવા પ્રવાસે નહી જાય. આ તબીબો શહેરમાં રહીને ડેન્ગ્યૂ, મેલેરિયા સહિત રોગચાળા તેમજ દિવાળી દરમિયાન બનતી આગ અકસ્માતની ઘટનાઓને લઈને ફરજ પર હાજર રહશે.આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું કે દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટરો હાજર નહીં હોવાના કારણે દર્દીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેથી દર્દીઓને અગવડતા ન પડે અને સમાજને મદદરુપ થવાના હેતુથી આ સેવા કાર્યરત કરી છે. છેલ્લા 9 વર્ષથી ડોક્ટર ઑન કૉલ સેવા કાર્યરત છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

આગળનો લેખ
Show comments