Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ કેમિકલ ફેક્ટરીમાં આગ, મૃતકોનો આંકડો 12 પહોંચ્યો, વિજય રૂપાણીએ કરી સહાયની જાહેરાત

Webdunia
ગુરુવાર, 5 નવેમ્બર 2020 (08:33 IST)
અમદાવાદમાં બુધવારે પિરાણા ડમ્પિંગ સાઇડની પાસે આવેલી એક ફેક્ટરીમાં આગ લાગી હતી અને ત્યારબાદ બ્લાસ્ટના લીધે નજીકમાં આવેલા ટેક્સ્ટાઇલ ગોડાઉનની છત પર પડી ગઇ હતી. જેના કારણે આગ ગોડાઉનમાં ફેલાઇ ગઇ હતી, ત્યારે ત્યાં 24 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તેમાંથી 12 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. ગોડાઉનમાં કામ કરી રહેલા કર્મચારીઓ કાટમાળ નીચે દબાઇ જતાં આગના જ્વાળાના લીધે દાઝી ગયા હતા. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 35-40 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવામાં આવ્યો હતો. 
અકસ્માત નાનુભાઇ એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયો. ત્યાં બોયલર ફાટતાં આગ લાગી હતી અને ત્યારબાદ એક પછી એક 5 બ્લાસ્ટ થયાહ હતા. કેમિકલ ફેક્ટરી પાસે આવેલું કપડાનું ગોડાઉન પણ બ્લાસ્ટની ચપેટમાં આવી ગયું હતું. 
 
પીએમ મોદી, દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના પર દુખ વ્યક્ત કરતાં મદદના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યકિતઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ આગ દુર્ઘટનાની તપાસ કરી તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે.   
વિજય રૂપાણીએ આ આગ દુર્ઘટનાની તપાસ માટે શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારની નિમણૂંક કરી છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રાજ્ય સરકારની રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. તેમણે મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ ઇજાગ્રસ્તો વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments