Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદાના પાણીમાં ઓક્સિજન ઓછો ને સલ્ફાઇડ કેમ વધ્યું, સરકારનું મૌન

Webdunia
શુક્રવાર, 17 મે 2019 (14:40 IST)
થોડાક સમય પહેલાં નર્મદા ડેમના પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી અને સલ્ફાઇડની માત્રા વધી હતી પરિણામે હજારો માછલાંઓના મોત નિપજ્યા હતાં. આ ઉપરાંત લોકોને પીવાનુ પાણી ય આપવાનુ બંધ કરી દેવાયુ હતું.
પર્યાવરણવાદીઓએ નર્મદા નિગમ ઓથોરીટીને પત્ર લખી એવી રજૂઆત કરી છેકે, નર્મદાના પાણીની ગુણવત્તા ખરાબ થવા પાછળના કારણો અંગે કેમ મૌન દાખવવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત હાલમાં ય નર્મદા ડેમના તળિયે જઇને પાણીના સેમ્પલ લઇ પાણીની ગુણવત્તાની ચકાસવામાં આવી રહી છે કે કેમ તે અંગે નર્મદા ઓથોરિટી ગુજરાતની જનતાને જણાવે તેવી માંગ કરવામાં આવી છે.
ફેબુ્રઆરીમાં નર્મદા ડેમનુ પાણી ડહોળુ બન્યુ હતું. એટલુ જ નહીં, પાણીની ગુણવત્તા એટલી હદે ખરાબ થઇ કે,ડેમના આસપાસના વિસ્તારોમાં ય પાણી આપવાનુ બંધ કરી દેવાયુ હતું. તે વખતે નર્મદા નિગમ ઓથોરિટી એ એવો ખુલાસો કર્યો હતોકે, ભૂંકપને કારણે આવુ થઇ શકે છે.
આ ઉપરાંત ડેમના તળિયે ગેસ નીકળતો હોવાની પણ પાણીની ગુણવત્તા બગડી શકે છે. આ બધાય કારણો જાણવા નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓસનોલોજીના નિષ્ણાતો ડેમના તળિયે જઇને પાણીના સેમ્પલ લેવાના હતાં તેનુ શું થયું તેવો પર્યાવરણવાદીઓએ સવાલ ઉઠાવ્યો છે.
ગુજરાતમાં હાલમાં પાણીના પોકારો ઉઠયાં છે. માત્ર નર્મદા ડેમના પાણી પર જ ગુજરાતની જનતાનો આધાર છે ત્યારે પાણીની ગુણવત્તા વિશે નર્મદા નિગમે રાજ્યની જનતાને વાસ્તિવકતાથી વાકેફ કરવી જોઇએ. નર્મદાના પાણીમાં અત્યારે સલ્ફાઇડ અને ઓક્સિજનનુ પ્રમાણ કેટલુ છે તે જણાવવુ જોઇએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments